ભારતીય ઑપનિંગ બેટ્સમેન શિખર ધવન વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ ટી20 સીરીઝથી બહાર થઈ ગયો છે
નવી દિલ્હી : ભારતીય ઑપનિંગ
બેટ્સમેન શિખર ધવન વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ ટી20 સીરીઝથી બહાર થઈ ગયો છે. 6 ડિસેમ્બરે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે હૈદરાબાદમાં પહેલી મેચ રમાશે. માનવામાં આવી રહ્યું
છે કે, સંજૂ સૈમસનને તેના સ્થાને સામેલ કરી શકાય છે. ધવનને સૈયદ
મુશ્તાક અલી ટ્રૉફીમાં મહારાષ્ટ્રની વિરુદ્ધ સુપર લીગ મેચમાં ઘૂંટણ પર ઈજા થઈ હતી.
તેના ઘૂંટણ પર ટાંકા આવ્યા હતા.
તે સમયે ધવને જણાવ્યું હતું કે, તે 4-5 દિવસમાં પરત આવી જશે. બીજી તરફ, સંજૂ સૈમસનને વેસ્ટ ઈન્ડિઝ માટે પસંદ નહોતો કરવામાં આવ્યો. તેને બાંગ્લાદેશની વિરુદ્ધ ટી20માં પણ સ્થાન મળ્યું હતું, પરંતુ એક પણ મેચ રમવાની તક નહોતી મળી.રન લેવા ડાઇવ લગાવતાં ઘૂંટણમાં થઈ ઈજા : 33 વર્ષના શિખર ધવનને રન લેતી વખતે ઈજા થઈ હતી. ડાઇવ દરમિયાન તેના બેટનો એક ટુકડાથી ઘૂંટણ ઉપર કાપો વાગી ગયો હતો, પરંતુ તે રમતો રહ્યો અને પેવેલિયન પરત ફરતી વખતે તેને કાપો થયો હોવાનો ખ્યાલ આવ્યો હતો. બાદમાં હૉસ્પિટલમાં ટાંકા લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત હરભજન સિંહે પણ સૈમસનને ટીમમાં સામેલ ન કરવા પર નિરાશા વ્યક્ત કરી હતી. તેણે થરૂરના નિવેદનનું સમર્થન આપતાં કહ્યુ હતું કે, પસંદગી સમિતિમાં મજબૂત ચહેરાની જરૂર છે.