• Home
  • News
  • Cyclone Tauktae Rescue: 'Barge P305' જહાજમાંથી અત્યાર સુધીમાં 184 લોકોને બચાવાયા, 76 લોકો હજુ પણ ગૂમ
post

અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવેલા જહાજ P-305 નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. જહાજ પર 261 લોકોમાંથી 184 લોકોને બચાવી લેવાયા છે. જો કે હજુ પણ 76 લોકો ગૂમ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-19 11:11:10

મુંબઈ: અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવેલા જહાજ P-305 નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. જહાજ પર 261  લોકોમાંથી 184 લોકોને બચાવી લેવાયા છે. જો કે હજુ પણ 76 લોકો ગૂમ છે. 

અત્યાર સુધી 618 લોકોને કરાયા રેસ્ક્યૂ
બાર્જ P-305 જહાજથી 184 લોકો ઉપરાંત GAL Constructor જહાજમાં ફસાયેલા તમામ 137 લોકોને ઈન્ડિયન નેવી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે રેસ્ક્યૂ કરી લીધા છે. Barge SS3ના 196 લોકો અને Drill Oil સાગર Bhushan ના 101 લોકોને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા છે. 

બાર્જ P-305 પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
બાર્જ P-305  જહાજ પર હજુ પણ 76 લોકો ફસાયેલા છે અને સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનમાં INS કોચી અને INS કોલકાતા ની સાથે ઈન્ડિયન નેવીના  Beas, Betwa અને Teg Naval Ships પણ કામે લાગેલા છે. Barge P305 મુંબઈથી 35 નોટિકલ માઈલ્સના અંતરે સમુદ્રાના પાણીમાં ગરકાવ થયેલું છે. સર્ચ ઓપરેશન અને રેસ્ક્યૂના કામમાં P8I અને નેવલ હેલિકોપ્ટર્સની પણ મદદ લેવાઈ રહી છે. 

ફસાયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર 
Barge P305
માં ફસાયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર બહાર પાડવામાં આવ્યા છે. 

AFCONS હેલ્પડેસ્ક અને સપોર્ટ ટીમ: 
કરણદીપ સિંહ-  +919987548113, 022-71987192
પ્રસૂન  ગોસ્વામી- 8802062853

ઓએનજીસી હેલ્પલાઈન: 
022-2627 4019
022-2627 4020
022-2627 4021

 

adv

Related News

post
post
post
post
post
post
post