રાજદના સાંસદ મનોજ કુમારે ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો
રાજ્યસભામાં ગુરુવારે સુનાવણી શરૂ થતાની સાથે જ ખેડૂતોનો
મુદ્દો ઉઠાયો હતો. રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ કુમાર ઝાએ કહ્યું કે બિહાર
સમગ્ર દેશમાં લેબર સપ્લાઈ કરનારું રાજ્ય બની ગયું છે. અહીં મિનિમમ સપોર્ટ પ્રાઈઝ
ખત્મ થયા પછી ખેડૂત મજૂર બની ગયો છે. તમે ઈચ્છો છો કે પંજાબ અને હરિયાણાના ખેડૂત
પણ તેમના જેવા જ થઈ જાય.
રાજ્યસભામાં આજે રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવ અને
ખેડૂતોના મુદ્દે ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન ભાજપના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા
પછી જ્યારે કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહનું નામ આવ્યું તો મોટેથી હસવા લાગ્યા.
ત્યારે સભાપતિએ કહ્યું તેમાં મેં કોઈ જ ફેરફાર કર્યો નથી. જે લિસ્ટમાં હતું તે
મુજબ જ નામ લીધું છે. તેની પર દિગ્વિજય સિંહ પણ હસવા લાગ્યા.
દિગ્વિજયે સિંધિયાને પોતાનો પક્ષ સારી રીતે રજૂ કરવા બદલ
ધન્યવાદ આપ્યા હતા. તેમણે કહ્યું કે સિંધિયા જે રીતે યુપીએ સરકારનો પક્ષ રજૂ કરતા
હતા, તે જ
રીતે આજે આ સરકારનો પક્ષ રજૂ કર્યો છે. વાહ જી મહારાજ વાહ. અમારા આશીર્વાદ તમારી
સાથે છે અને રહેશે. સિંધિયાએ કોરોના કાળમાં મોદી સરકારે લીધેલા નિર્ણયની પ્રશંસા
કરી હતી.
સિંધિયાએ કહ્યું- ભારતે કોરોનાના
બાઉન્સરને બાઉન્ડ્રીની બહાર મોકલ્યા
ભાજપ
સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે કોરોના એક અદ્રશ્ય શત્રુ હતો. વિશ્વમાં
કરોડો લોકો તેનાથી સંક્રમિત થયા, 20 લાખ લોકોના મોત થયા જોક ભારતે કોરોનાને બાઉન્સર શોટ લગાવીને
બાઉન્ડ્રીની બહાર મોકલ્યો. હાલ એવરેજ ગ્લોબલ રિકવરી રેટ 70 ટકા છે. ભારતમાં તે સૌથી વધુ 97 ટકા છે. કોરોનાની બીજી લહેર
ભારતમાં આવી પણ ન શકી કારણ કે નેતૃત્વએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો.
રાજદના સાંસદ મનોજ કુમારે ખેડૂતોનો
મુદ્દો ઉઠાવ્યો
રાજ્યસભામાં
ગુરુવારે સુનાવણી શરૂ થતા જ ખેડૂતોનો મુદ્દો ઉઠ્યો હતો. રાષ્ટ્રીય જનતા દળના સાંસદ
મનોજ કુમાર ઝાએ કહ્યું કે બિહાર સમગ્ર દેશમાં લેબર સપ્લાઈ કરનારુ રાજ્ય બની ગયું
છે. અહીં મિનિમમ સપોર્ટ પ્રાઈઝ ખેડૂત ખેતી કરનાર મજૂર બની ગયો. તમે ઈચ્છો છો કે
પંજાબ અને હરિયાણાના ખેડૂત પણ તેમના જેવા જ બની જાય.