અધિકારીઓનું કહેવું છે કે ગ્લૂકોઝ પર આધારિત આ દવાના સેવનથી કોરોનાના દર્દીઓએ ઓક્સિજન પર વધુ નિર્ભર રહેવું પડશે નહીં. આ સાથે જ તેઓ જલદી સ્વસ્થ થશે.
નવી દિલ્હી: કોરોના (Coronavirus) સામેની જંગમાં નિર્ણાયક
ભૂમિકા ભજવવા માટે DRDO
ની
એન્ટી કોવિડ મેડિસિન 2
ડીજી(2-DG) 17મી મેના રોજ દર્દીઓ માટે
ઉપલબ્ધ થઈ જશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી
ડો.હર્ષવર્ધન આજે આ દવાની પહેલી ખેપ રિલીઝ કરશે.
પાઉડર ફોર્મમાં ઉપલબ્ધ
હશે દવા
DRDO ના
જણાવ્યાં મુજબ 2ડીઓક્સી ડી-ગ્લુકોઝ
દવાને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાઈડ સાયન્સિસ(INMAS) દ્વારા હૈદરાબાદની
ડોક્ટર રેડ્ડી લેબની સાથે મળીને તૈયાર કરાઈ છે. હાલમાં જ ક્લિનિકલ ટ્રાયલમાં પાસ
થયા બાદ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ આ દવાને ઈમરજન્સી ઉપયોગ માટે
મંજૂરી આપી હતી. કહેવાય છે કે આ દવાઓ સેશેટમાં ઉપલબ્ધ હશે. એટલે કે દર્દીએ તેને
પાણીમાં ભેળવીને લેવી પડશે.
આ દવાથી ઓક્સિજન લેવલ મેન્ટેઈન રહેશે
અધિકારીઓનું
કહેવું છે કે ગ્લૂકોઝ પર આધારિત આ દવાના સેવનથી કોરોનાના દર્દીઓએ ઓક્સિજન પર વધુ
નિર્ભર રહેવું પડશે નહીં. આ સાથે જ તેઓ જલદી સ્વસ્થ થશે. ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન
પણ જે કોરોના દર્દીઓને આ દવા અપાઈ હતી તેમના RT-PCR રિપોર્ટ જલદી નેગેટિવ આવ્યા
હતા. તેમણે જણાવ્યું કે આ દવા સીધી વાયરસથી પ્રભાવિત સેલ્સમાં જઈને જામી જાય છે
અને વાયરસ સિન્થેસિસ અને એનર્જી પ્રોડક્શનને રોકીને વાયરસને વધવાથી રોકે છે.
આ દવાને સરળતાથી ઉત્પાદિત કરી શકાય છે. એટલે કે બહુ જલદી તે સમગ્ર દેશમાં
ઉપલબ્ધ કરાવવામાં આવશે.