નાણાકીય નિવેદનોની વિગતો ન આપવાના કારણો લેખિતમાં આપવાના રહેશે
ચૂંટણી પંચે (EC) સોમવારે એક ઓનલાઈન
પોર્ટલ લોન્ચ કર્યું છે. તમામ પક્ષોએ હવે આ પોર્ટલ પર તેમની નાણાકીય વ્યવહારની
વિગતો, ચૂંટણી ખર્ચ અને પાર્ટીને મળેલા ભંડોળની માહિતી આપવાની રહેશે. પોર્ટલનો હેતુ
ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો છે.
એક વર્ષ પહેલાથી
પોર્ટલના વિચાર પર કામ ચાલી રહ્યું હતું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર છેલ્લા એક વર્ષથી આ
પોર્ટલના વિચાર પર કામ કરી રહ્યા હતા. આ પોર્ટલ ચૂંટણી પંચની 3C વ્યૂહરચનાનો એક ભાગ છે.
આ હેઠળ, રાજકીય ભંડોળ અને
ખર્ચમાં પારદર્શિતા અને જવાબદારીને મજબૂત કરવા માટે સ્પષ્ટતા, ગેરકાયદેસર ભંડોળ સામે
કાર્યવાહી અને નિયમોનું પાલન કરાવવાનું સામેલ છે.
નાણાકીય નિવેદનોની
વિગતો ન આપવાના કારણો લેખિતમાં આપવાના રહેશે
જે રાજકીય પક્ષો આ પોર્ટલ પર તેમના નાણાકીય નિવેદનોની વિગતો રજૂ કરતા નથી, તેમણે લેખિતમાં કારણો
આપવાના રહેશે. આ સાથે સીડી અને પેન ડ્રાઇવ સાથે નિયત ફોર્મેટમાં રિપોર્ટ ફાઇલ
કરવાનો રહેશે. EC તમામ પક્ષોના રિપોર્ટ ઓનલાઈન જાહેર કરશે.આ અંગે ECએ તમામ રાજકીય પક્ષોને પત્ર
લખ્યો છે.
જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ પક્ષોએ ECને
નાણાકીય વિગતો આપવાની હોય છે
જનપ્રતિનિધિત્વ અધિનિયમ,
1951 હેઠળ, ECને તમામ રાજકીય પક્ષો દ્વારા સમયાંતરે નાણાકીય વિગતો આપવી જરૂરી છે.