ઈન્ડિયન ટીમે ચોથા દિવસે 2 વિકેટના નુકસાને 215 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું
Written By newsonline | Ahmedabad | Published: 2021-08-28 17:36:48
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ
ઇંગ્લિશ ટીમે ઈનિંગ અને 76 રનથી જીતી લીધી છે. લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં
રમાયેલી આ મેચના ચોથા દિવસે ઈન્ડિયન ટીમ 278 રનમાં
ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઈન્ડિયન ટીમે ચોથા દિવસે 2 વિકેટના નુકસાને 215 રનના
સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. તેવામાં 63 રન
કરતા-કરતા ઈન્ડિયન ટીમે 8 મહત્ત્વપૂર્ણ વિકેટની સાથે મેચ પણ ગુમાવી દીધી હતી. ચોથા
દિવસે ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ પહેલા સેશનમાં જ
પેવેલિયન ભેગા થઈ ગયા હતા.