• Home
  • News
  • વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટઃ 3 મહિલા સહિત કુલ 8 લોકોના મોત, 11 ઈજાગ્રસ્ત
post

પોલીસના જણાવ્યા પ્રમાણે ફેક્ટરીમાં આ વિસ્ફોટ એક શેડની નીચે થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-21 12:45:42

ચેન્નાઈઃ તમિલનાડુના તિરુધુનગર જીલ્લામાં શુક્રવારે સાંજે ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 8 લોકોના મોત થયા છે, જ્યારે 11 લોકોને ઈજા પહોંચી છે. મૃતકોમાં પાંચ મહિલાનો સમાવેશ થાય છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સત્તૂર પાસે સિપીપરાઈમાં આવેલી આ ફેક્ટરીમાં 30 મજૂર કામ કરી રહ્યા હતા. મજૂરો જ્યારે ફટાકવા બનાવવા માટે રસાયણો (Chemical)નું મિશ્રણ તૈયાર કરી રહ્યા હતા તે સમયે આ વિસ્ફોટ થયો હતો.


પોલીસના જણાવ્યા પ્રમાણે ફેક્ટરીમાં આ વિસ્ફોટ એક શેડની નીચે થયો હતો. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી, જેને પગલે ત્રણ ગોદામ અને શેડ સળગી ગયા છે. ત્રણ મજૂર આગમાં ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થાનિક સરકારી હોસ્પિટલમાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post