• Home
  • News
  • દિલ્હી બાદ નોએડામાં આગ હોનારત, 3 દુકાનો બળીને રાખ
post

આજુબાજુની દુકાનના માલિકોએ તેમની દુકાનોમાં રહેલો સામાન અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાનું શરૂ કરી દીધું

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-23 17:34:10

નોએડા: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુંડકા અગ્નિકાંડની યાદ હજું તાજી જ છે ત્યારે હવે ઉત્તર પ્રદેશના નોએડા ખાતેથી પણ એક આગ હોનારત સામે આવી છે. નોએડાના નિઠારી બજારમાં આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગવાના કારણે 3 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. જાણવા મળ્યા મુજબ નિઠારીના સેક્ટર 31માં ઈસ્કોન મંદિર પાસે હંસરાજ ટાવરમાં આગ લાગવાની ઘટના બની છે. 

આ શોપિંગ કોમ્પ્લેક્સમાં વિદ્યુત ઉપકરણોની દુકાન પણ આવેલી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજું સામે નથી આવ્યું. આગ હોનારત બાદ આજુબાજુની દુકાનના માલિકોએ તેમની દુકાનોમાં રહેલો સામાન અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાનું શરૂ કરી દીધું હતું. 

adv

Related News

post
post
post
post
post
post
post