શ્રેય હોસ્પિટલને સીલ કરાઈ છે અને તેની સામે FIR દાખલ કરવામાં આવી છે
Written By newsonline | Ahmedabad | Published: 2020-08-06 10:57:57
અમદાવાદ: શહેરના નવરંગપુરા
વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3 વાગ્યાની
આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ
અને 3 મહિલા સહિત 8 દર્દીના
મોત થયા છે. ત્યારે આ દુર્ઘટના પાછળ ફાયર વિભાગ તેમજ હોસ્પિટલની મોટી બેદરકારી
સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રેય
હોસ્પિટલમાં માત્ર એક જ દરવાજો છે. ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરતા તે પણ
એક્સપાયરી ડેટના નીકળ્યા છે. ત્યારે હોસ્પિટલે પણ મધરાતે લાગેલી આગમાં મોતને
ભેટનાર દર્દીઓના પરિવારજનોને જાણ ન હતી કરી. પરિવારજનનો મીડિયા દ્વારા દુર્ઘટનાની
જાણ થઈ હતી. હાલમાં હોસ્પિટલમાંથી 5 લોકોના
મૃતદેહ પીએમ માટે લઇ જવામાં આવ્યા છે. હાલમાં શ્રેય હોસ્પિટલને સીલ કરાઈ છે અને
તેની સામે FIR દાખલ કરવામાં આવી છે