• Home
  • News
  • ફ્લાઈટ ટેક્ઓફનું કાઉનડાઉન શરૂ:હિરાસર એરપોર્ટનું PM મોદી 27 જુલાઈએ લોકાર્પણ કરશે, કાર્યક્રમની તૈયારી માટે વહીવટી તંત્રને ટેલિફોનિક સૂચના મળી
post

હાલ વડાપ્રધાનનો 27 જુલાઈનો કાર્યક્રમ નક્કી થતાં તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે અને હિરાસર એરપોર્ટ ખાતે ભારે ચહલપહલ જોવા મળી રહી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-18 19:36:55

PM મોદી આગામી તારીખ 27 જુલાઈનાં રોજ પોતાના ડ્રિમ પ્રોજેક્ટ એવા હિરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરે તેવી પૂરતી શક્યતા છે. એરપોર્ટ માટે લાઇસન્સ પ્રક્રિયાની કાર્યવાહી પૂર્ણ થઇ છે. તેમજ જિલ્લા કલેક્ટરે પણ પોતાને ટેલિફોનિક જાણકારી મળી હોવાનું અને સતાવાર કાર્યક્રમની રાહ સાથે તૈયારી શરૂ કરાઇ હોવાનું જણાવ્યું છે. PM મોદીની આ મુલાકાત દરમિયાન તેઓ જાહેરસભાને સંબોધે તેવી પણ શક્યતા છે. ત્યારે હાલ વડાપ્રધાનનો 27 જુલાઈનો કાર્યક્રમ નક્કી થતાં તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે અને હિરાસર એરપોર્ટ ખાતે ભારે ચહલપહલ જોવા મળી રહી છે.


DGCAએ ત્રણ દિવસ નિરીક્ષણ કર્યુ હતું
જુલાઈ માસના પ્રારંભે જ ડીજીસીએ(ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)ની ટીમનું આગમન થયું હતું. એરપોર્ટના લાઈસન્સ માટે આવેલી દિલ્હીથી આવેલી ડીજીસીએના અધિકારીઓએ ત્રણ દિવસ નિરીક્ષણ કર્યું હતું. જેમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા હિરાસર એરપોર્ટ ઉપર અત્યાર સુધી કરવામાં આવેલા કેલિબ્રેશન (ફ્લાઈટ ટેસ્ટીંગ)ની તમામ જાણકારી ઉપરાંત અન્ય મહત્વના દસ્તાવેજોને ડીજીસીએમાં સબમિટ કરાવી દેવામાં આવ્યા હતા. ઉપરાંત એરપોર્ટ આસપાસ એરક્રાફ્ટના લેન્ડીંગ કે ટેકઓફ માટે કોઈ જોખમરૂપ બિલ્ડીંગ કે અન્ય કોઈ અવરોધ અંગે તેમજ એરપોર્ટના ગ્રાઉન્ડના ફીચર્સ, રન-વે અને તેનો સ્લોપ સાથે એરપોર્ટનાં કેલીબ્રેશન, ફાયર સ્ટેશન,એરક્રાફ્ટ પાર્કિંગ, એ.ટી.સી.(એર ટ્રાફિક કંટ્રોલર ટાવર) સહિતનાં તમમાં મુદ્દે ઝીણવટભરી તપાસ કરી રીપોર્ટ દિલ્લી આપ્યો હતો.


DGCAના ક્લિયરન્સ મળતા લાયસન્સને મંજૂરી
આ રિપોર્ટનાં આધારે હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ડીજીસીએનું ક્લિયરન્સ મળી જતા લાયસન્સને મંજૂરી આપવામાં આવી છે. અને હવે હિરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટના લોકાર્પણની નવી તારીખ જાહેર થઇ છે જેમાં આગામી 27મી જુલાઇની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે. ઉપરાંત વડાપ્રધાનની એક જાહેરસભા પણ યોજાશે જેને લઇ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. જેમાં સુરક્ષા વ્યવસ્થાને લઇ પોલીસ અને એરપોર્ટ ઓથોરીટીની એક મહત્વની મીટીંગ પણ આજે મળનાર હોવાનું જાણવા મળ્યું છે. તેમજ હિરાસર એરપોર્ટ ખાતે તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.


રનવેની કુલ લંબાઈ 3.4 કિમી
ઉલ્લેખનીય છે કે, રાજકોટથી 30 કિમી અંતરે આવેલા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને 1032 હેક્ટરમાં ઉભું કરવામાં આવ્યું છે. જેમાં 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે અને પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે. એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિમી છે. આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિમીની સ્પીડથી ઊડી શકે એવાં સીપ્રકારનાં પ્લેન ઓપરેટ થશે. જેને પગલે એરબસ (એ 320-200), બોઇંગ (બી 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે. એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, એમઆરઓ /હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, અને હિરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી 2 કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર પણ હશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post