શહેરના સરદાર બ્રિજથી એલિસબ્રિજ વચ્ચે આવેલા રિવરફ્રન્ટ ખાતે આજથી 19 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શો 2020ની શરૂઆત થઈ છે
અમદાવાદઃ શહેરના સરદાર બ્રિજથી એલિસબ્રિજ
વચ્ચે આવેલા રિવરફ્રન્ટ ખાતે આજથી 19 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શો 2020ની શરૂઆત થઈ
છે. ચાલુ વર્ષે અલગ અલગ થીમ પર તમામ પ્રકારની વેરાયટી સાથે લાખો ફૂલો જોવા મળી
રહ્યા છે. ફ્લાવર શોમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી, મચ્છર, ફાયરબ્રિગેડ
વગેરે જેવી થીમ રાખવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઈચ્છે છે કે, ફ્લાવર શો
જોઈને શહેરીજનો સ્વચ્છતા, પર્યાવરણ, ગ્રીન એન્ડ
ક્લિનનો કોન્સેપ્ટ અપનાવે છે અને શહેર કલરફુલ બનાવે.
મૂળ રશિયાની અને છેલ્લા 7 વર્ષથી અમદાવાદમાં રહેતી મારીયા અને
મરિના નામની બે યુવતીઓએ બાળકો સાથે ફલાવર શોની મુલાકાત લીધી હતી. બંને યુવતીઓ
મિત્રો છે. તેમની સાથે તેમના બાળકો પણ આવ્યા હતા. બંને બાળકોને ફૂલો બહુ ગમે છે.
ગુજરાતીમાં વાત કરે છે. સેટેલાઇટ સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સમાં અભ્યાસ કરે છે.