એક વિપક્ષી સાંસદે કહ્યું કે બેઠક વ્યવસ્થા છતાં કોઇ પણ સાંસદ પોતાના અધિકારનો ઉપયોગ કરીને મેઇન ચેમ્બરમાં જઇ શકે છે
નવી દિલ્હી: કોરોના વાઇરસના બે હાથના અંતરે ભારતીય સંસદનો ચહેરો પણ બદલી
નાખ્યો છે. સંસદનું આ વખતનું ચોમાસુ સત્ર મહામારીની મજબૂરીઓનું ઉદાહરણ સાબિત થશે, કેમ કે 1952 બાદ 68 વર્ષના સંસદીય ઇતિહાસમાં પહેલી વાર બન્ને ગૃહ જુદા-જુદા
સમયે ચાલશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ શકે તે માટે રાજ્યસભાના સાંસદો લોકસભામાં
અને દીર્ઘાઓમાં પણ બેસશે. લોકસભા માટે પણ આ જ વ્યવસ્થા અપનાવાશે. તે માટે સંસદમાં
હાલ જોરશોરથી કામ ચાલી રહ્યું છે.
રાજ્યસભા સવારે, લોકસભા
સાંજે ચાલી શકે છે:
·
નવી બેઠક
ક્ષમતા પ્રમાણે રાજ્યસભાના 60 સાંસદ ગૃહમાં અને 51 દીર્ઘાઓમાં બેસશે. બાકીના 132 સાંસદને
લોકસભાની ચેમ્બરમાં બેસાડાશે. આ કારણથી જ બન્ને ગૃહ એક સાથે નહીં પણ જુદા-જુદા
સમયે ચાલશે. રાજ્યસભા સવારે જ્યારે લોકસભા સાંજે ચાલી શકે છે.
·
બંને ગૃહ
મોટી સ્ક્રીન પર દેખાશે, જેથી કાર્યવાહીમાં ગૃહ સાથે દેખાય.
·
રાજ્યસભાની
મુખ્ય ચેમ્બરમાં વડાપ્રધાન, ગૃહના નેતા અને વિપક્ષના નેતા બેસશે. તમામ પક્ષોના ગૃહના
નેતા પણ ચેમ્બરમાં જ બેસશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, એચ. ડી. દેવગૌડા, રામવિલાસ
પાસવાન, રામદાસ અઠાવલે માટે સીટો રખાઇ છે.
·
કાર્યવાહી
દરમિયાન વિપક્ષ કોલાહલ કે હોબાળો નહીં કરી શકે. દીર્ઘામાં બેસેલા સાંસદો પણ ગૃહના
મધ્યભાગમાં નહીં આવી શકે.
·
એક વિપક્ષી
સાંસદે કહ્યું કે બેઠક વ્યવસ્થા છતાં કોઇ પણ સાંસદ પોતાના અધિકારનો ઉપયોગ કરીને
મેઇન ચેમ્બરમાં જઇ શકે છે. તે દીર્ઘામાંથી નીકળીને એક મિનિટમાં જ સીડીઓ ઉતરીને
મેઇન ચેમ્બરમાં પહોંચીને કર્તવ્ય નિભાવી શકે છે.