દારૂબંધી પર રાજસ્થાન ના મુખ્યમંત્રી અશોક ગેહલોતએ કહ્યુ કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું
દારૂબંધી પર રાજસ્થાન ના મુખ્યમંત્રી
અશોક ગેહલોતએ કહ્યુ કે, વ્યક્તિગત રીતે
હું દારૂબંધીનું સમર્થન કરું છું. તેઓએ કહ્યુ કે, તેને એક વાર પ્રતિબંધ મૂકવામાં
આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો અને પ્રતિબંધને હટાવી
દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ
ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ
પીવાય છે. આ નિવેદન પર પલટવાર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું
કે, રાજસ્થાનનાં સીએમ અશોક ગેહલોતે ગુજરાતની જનતાની માફી માંગવી
જોઇએ. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી.
આ અંગે મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં કહ્યું કે, 'એક પછી એક ચૂંટણી હાર્યા પછી અને રાજસ્થાનમાં બધી જ લોકસભાની સીટ કૉંગ્રેસ હારી ગયા પછી કોંગ્રેસને કળ વળી નથી. બધા કૉંગ્રેસીઓનાં જીભ અને મગજનાં જોડાણ તૂટી ગયા હોય તેમ લાગે છે. ગેહલોતજીએ, ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવું કહીને સડા છો કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી. ગુજરાત કોંગ્રેસે જવાબ આપવો જોઇએ.
ગેહલોતજીએ
તમામ ગુજરાતીઓની માફી માંગવી જોઇએ. રાજસ્થાનનાં મુખ્યમંત્રી ગુજરાતની ચૂંટણી
જીતાડી ન શક્યા તેથી ગુજરાતીઓ પર ગમે તેવા આક્ષેપો કરવા તે તેમને શોભતું નથી.
ગુજરાતીઓ તેમને માફ નહીં કરે.
સીએમ રૂપાણીએ વધુમાં કહ્યું કે, 'કોંગ્રેસનાં
લોકોને ગાંધી પણ ગમતા નથી, સરદાર પણ ગમતા નથી, ગુજરાત પણ ગમતા
નથી અને મોદી તો આંખમાં કણાંની જેમ ખૂંચે છે. ત્યારે આ બધો બકવાસ થઇ રહ્યો છે તેમ
હું માનું છું. રાજસ્થાનની જનતા ઇચ્છતી હતી કે ત્યાં દારૂબંધી થવી જોઇએ. પરંતુ
નશામાં ચૂર એવી કૉંગ્રેસે આ વાત માનવાને બદલે ગુજરાતમાં ઘરે ઘરે લોકો દારૂ પી
રહ્યાં છે તેવું બોલીને અપમાન કરવાની ચેષ્ટા કરી છે તેનાથી ગુજરાતીઓ તેમને માફ
નહીં કરે.'