ગત વર્ષે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા પાછળ પણ લોરેન્સનો હાથ હતો
બોલિવૂડ એક્ટર સલમાન
ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગેંગસ્ટર લોરેન્સની નજીકના
ગોલ્ડી બરાડે કહ્યું- અમે સલમાન ખાનને મારીશું, ચોક્કસ મારીશું.
ભાઈ સાહેબ (લોરેન્સ)એ
કહ્યું હતું કે તે માફી નહીં માગે. બાબા ત્યારે જ દયા બતાવશે, જ્યારે તેને દયા આવશે.
જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સના ઇન્ટરવ્યૂનો ઉલ્લેખ કરતાં ગોલ્ડીએ કહ્યું હતું કે
સલમાન ખાનને મારવો જ તેના જીવનનું લક્ષ્ય છે. ગોલ્ડીએ એક મીડિયા ચેનલને
આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાત કહી. આ દિવસોમાં તે કેનેડા-અમેરિકામાં ક્યાંક છુપાયેલો
છે.
માત્ર સલમાન જ નહીં,
તમામ દુશ્મનોનો સફાયો કરશે
ગોલ્ડીએ કહ્યું હતું કે તેની વાત માત્ર સલમાન ખાન
સુધી સીમિત નથી. જ્યાં સુધી તે જીવે છે ત્યાં સુધી તેના તમામ દુશ્મનો સામે લડવાનું
ચાલુ રાખશે. સલમાન ખાન નિશાના પર છે, એમાં કોઈ શંકા નથી. અમે પ્રયાસ કરતા રહીશું અને જ્યારે અમે સફળ થઈશું ત્યારે
બધાને ખબર પડશે.
લોરેન્સ ગેંગના નિશાના
પર સલમાન ખાન કેમ?
લોરેન્સે પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સલમાને અમારા સમાજનું ઘણું અપમાન
કર્યું છે. વૃક્ષ અને પ્રાણીઓ વિશે અમારા બિશ્નોઈ સમાજમાં ઘણી માન્યતા છે.
તેણે હરણની હત્યા કરી.
રાજસ્થાનના બિકાનેરમાં બિશ્નોઈ સમાજનું મંદિર છે અને સલમાને ત્યાં આવીને માફી
માગવી જોઈએ. જો તેઓ આમ કરશે, તો અમારે તેમની સાથે કોઈ લેવાદેવા રહેશે નહીં અને જો તેઓ આમ
નહીં કરે તો અમે કાયદાનો આશરો લીધા વિના અમારી રીતે કામ કરીશું.
નાનપણથી જ સલમાન માટે
તેના દિલમાં ગુસ્સો છે. તેનો અહંકાર ચોક્કસપણે તૂટી જશે. સલમાને અમારા સમાજના
લોકોને પૈસાની ઓફર પણ કરી હતી, પરંતુ અમે તેને સંપત્તિ માટે નહીં, પણ અમારા હેતુ માટે
મારીશું.
ગત વર્ષે સિદ્ધુ
મૂસેવાલાની હત્યા થઈ હતી
ગત વર્ષે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા પાછળ પણ લોરેન્સનો હાથ હતો.
જ્યારે આ સમગ્ર ઘટનાનું સંચાલન ગોલ્ડી બરાડે વિદેશમાં બેસીને કર્યું હતું.
ગોલ્ડીએ બધા સાથે ગઠબંધન કરી લોરેન્સના કહેવાથી આ હત્યાને અંજામ આપ્યો હતો.