જૂનાગઢ ઉપરકોટ,ધોળાવીરા તથા માતાના મઢ ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવવા માટે રૂ.20 કરોડની જોગવાઈ
અમદાવાદઃ રાજ્યના નાણાંમંત્રી નીતિન પટેલે આજે વર્ષ 2020-21નું 2 લાખ 17
હજાર 287 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં
રાજ્યના વિવિધ ઝોન જેવા કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત,
મધ્ય ગુજરાત અને દક્ષિણ
ગુજરાતની પાણીની સમસ્યાઓથી લઈ પ્રવાસન અંગે જાહેરાત અને જોગવાઈ કરી છે.
ઉત્તર ગુજરાત
> પ્રસિદ્ધ હેરીટેજ શહેર વડનગરનો ભારત સરકારના
સંયુકત પ્રયાસથી અંદાજિત રૂ.2૦૦
કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે .
> સાબરકાંઠા જિલ્લાના પોળો ફોરેસ્ટ ખાતે પ્રવાસી
સુવિધાઓનો વિકાસ કરવા માટે રૂ.5 કરોડની જોગવાઈ
> બોર્ડર ટુરિઝમના વિકાસ મારફતે નડાબેટ સીમા
દર્શન પ્રોજેક્ટ હેઠળ આંતર માળખાકીય સવલતો તથા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોના
આયોજન માટે રૂ.35
કરોડની જોગવાઈ
> સાબરમતી નદી પર 2200 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલા હિરપુરા અને વિલાસણા
બેરેજ માટે રૂ.60
કરોડની જોગવાઇ કરી છે.
પીયજથી ધરોઇ,
ધાધૂંસણથી રેડ
લક્ષ્મીપુરા અને ખેરવા-વિસનગર યોજનાના કામો પૂર્ણતાના આરે છે. જેના માટે રૂ.55 કરોડની જોગવાઇ કરી છે.
> બનાસકાંઠા જિલ્લામાં થરાદથી સીપ ડેમ સુધી
પાઈપલાઈન નાંખવાથી થરાદ,
લાખણી,ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે 6 હજાર હેક્ટર વિસ્તારને લાભ થશે. જેના માટે રૂ.225 કરોડની જોગવાઈ કરી છે.
> સરખેજ-ગાંધીનગર હાઈવેને રૂ.867 કરોડના ખર્ચે સિક્સલેન કરવાની કામગીરી
પ્રગતિમાં છે.
> થરાદ-ધાનેરા-પાથાવાડા રસ્તો રૂ.464 કરોડના ખર્ચે પેલ્ડ સોલ્ડર સહિત દ્વિમાર્ગીય
કરવાની કામગીરી પ્રગતિ હેઠળ
> ગાંધીનગર શહેરમાં 24 કલાક પાણી વિતરણ કરવા રૂ.240 કરોડની યોજનાનું આયોજન છે
> મેડિકલ કોલેજ, સોલા અમદાવાદ ખાતે બેચલર ઇન ઓડીયોલોજી સ્પીચ
એન્ડ લેગ્વજ પેથોલોજી કોર્સ શરૂ કરવા અને કોકલીયર ઈમ્પ્લાન્ટ સેન્ટરો કાર્યાન્વિત
કરવા રૂ.2
કરોડની જોગવાઈ
> હિંમતનગર નજીક રાજપુર નવા ખાતે નવીન વેટરનરી
કોલેજ, મત્સ્યોદ્યોગ અનુસ્નાતક અભ્યાસ કેન્દ્ર, પશુ સારવાર સંસ્થાઓ અને ઘનિષ્ઠ પશુ સુધારણાની
કચેરીઓના બાંધકામ તેમજ મરામત માટે 43 કરોડની જોગવાઇ
દક્ષિણ ગુજરાત
> શુકલતીર્થ, કબીરવડ,
મંગલેશ્વર અને
અંગારેશ્વરનો મેગા સર્કિટ તરીકે વિકાસ કરવા ભારત સરકાર તરફથી રૂ.23 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર
દ્વારા રૂ.5
કરોડ ઉમેરીને આ સ્થળોનો
વિકાસ કરવામાં આવશે.
> નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની વાઘરેજ
રીચાર્જ યોજના માટે રૂ.25
કરોડની જોગવાઈ કરી છે.
> દક્ષિણ ગુજરાતમાં રૂ.511 કરોડની સુરત જિલ્લાની કાકરાપાર-ગોરધા-વડ ઉદવહન
સિંચાઈ યોજના માટે રૂ.70
કરોડની જોગવાઈ કરી છે.
> સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં અને નર્મદા
જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં, તાપી-કરજણ લીંક પાઇપલાઇન ઉદવહન સિંચાઈ યોજના માટે રૂ.92 કરોડની જોગવાઇ કરી છે.
> ઉકાઈ જળાશય આધારિત રૂ.962 કરોડની સોનગઢ-ઉચ્છલ-નિઝર ઉદવહન સિંચાઈ યોજના
માટે રૂ.250
કરોડની જોગવાઇ કરી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ
> જૂનાગઢ ઉપરકોટ,ધોળાવીરા તથા માતાના મઢ ખાતે પ્રવાસી સુવિધાઓ
વિકસાવવા માટે રૂ.20
કરોડની જોગવાઈ
> ગિરનાર ક્ષેત્રના વિકાસ અને ગિરનાર રોપ-વે ની
કામગીરી PPPના ધોરણે વિકસાવવા માટે રૂ.130 કરોડના કામો હાથ ધરવામાં આવ્યા છે
> વેળાવદર ખાતે કાળીયાર અભયારણ્યનો વિકાસ કરવા
માટે રૂ.3
કરોડની જોગવાઈ
> ગીરમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓની
સંખ્યાને ધ્યાને લઇ અમરેલી ખાતે આંબરડી લાયન સફારી પાર્કના અદ્યતન વિકાસ માટે રૂ.5 કરોડની જોગવાઈ
> કચ્છમાં નર્મદાના પૂરના વધારાના પાણી દ્વારા
સિંચાઈ સુવિધાઓ વધારવાનું આયોજન છે. આ યોજનાથી 57,850 હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ થશે. જેના માટે
રૂ.100 કરોડની જોગવાઇ કરી છે.
> અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડનું આધુનિકીકરણ
કરવાનું આયોજન છે,
જે માટે અંદાજિત રૂ.715 કરોડ ખર્ચ થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત હાલનાં 70 શિપ રિસાયકલિંગ પ્લોટ અપગ્રેડ થશે અને 15 નવા પ્લોટ બનાવવામાં આવશે. જેનાથી મોટા
પ્રમાણમાં રોજગારીનું નિર્માણ થશે.
>સૌરાષ્ટ્ર-કચ્છ માટે પાણીની ભવિષ્યની
જરૂરિયાતને પહોંચી નાવડા-બોટાદ-ગઢડા- ચાવંડ, બુધેલ-બોરડા,ચાવંડ-ધરાઈ- ભે અને ચાવંડ- લાઠી બલ્ક
પાઇપલાઇનના કુલ રૂ.1400
કરોડના કામો શરૂ
કરવામાં આવશે. જે માટે રૂ.500
કરોડની જોગવાઇ કરી છે.
મધ્ય ગુજરાત
> બાલાસિનોર ડાયનાસોર ફોસીલ પાર્કની મુલાકાતે
આવનાર પ્રવાસીઓને સંખ્યાને ધ્યાને લઇ તેના વધુ વિકાસ માટે રૂ.1૦ કરોડની જોગવાઈ
> કરજણ જળાશય આધારિત રૂ.418 કરોડ ખર્ચે પાઇપ લાઈન નાંખવાની કામગીરી માટે
રૂ.28 કરોડની જોગવાઇ કરી છે.
> રૂ.215 કરોડની પાનમ ઉચ્ચ સ્તરીય કેનાલ આધારિત ઉદવહન સિંચાઈ
યોજના માટે રૂ.57
કરોડની જોગવાઈ કરી છે.
> પાનમ જળાશય આધારિત યોજનાઓ રૂ.249 કરોડના ખર્ચે કરવાનું આયોજન છે. જે માટે રૂ.73 કરોડની જોગવાઈ કરી છે.
> કડાણા જળાશય આધારિત કડાણા-દાહોદ પાઇપ લાઇનનું
કામ મહદઅંશે પૂર્ણ થયેલા છે. આ પાઇપલાઇન આધારિત વધારાન 74 તળાવો અને 12 નદી-કાંસમાં પાણી આપવા માટે રૂ.223 કરોડના ખર્ચનું આયોજન છે. જે માટે રૂ.103 કરોડની જોગવાઇ કરી છે.
> દેશની પ્રથમ એવી ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ
યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવા માટે 12 કરોડની જોગવાઈ