મોટા ભાગના ગુજરાતી યાત્રિકો ઉત્તરકાશીમાં ફસાયા, ગંગોત્રી પાસે હજાર વાહન અટકાવાયાં
ઉત્તરાખંડમાં ભારે
વરસાદને કારણે ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ અધવચ્ચે અટવાઈ
ગયા છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતાં પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા
છે. ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રા અટકાવી દેવાઈ
છે. ગુજરાતના સેંકડો યાત્રિકો ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના
વિસ્તારોમાં અટવાઈ ગયા છે.
મણિનગરનો એક પરિવાર
નેતાલામાં ફસાયો છે. પરિવારે પ્લેનનું બુકિંગ હોવાથી યાત્રા ટૂંકાવાનો વખત આવ્યો
છે. તેમના જણાવ્યા મુજબ, ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે 3000થી વધુ ગાડીઓ અટકાવી
દેવામાં આવી છે. જ્યારે રાજકોટના 180 લોકોનું એક ગ્રુપ
ગંગોત્રી જતા જ રસ્તામાં ફસાઇ ગયું છે. ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈએ કહ્યું
હતું કે અમે ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર આવેલા નેતાલામાં ફસાઈ ગયા છીએ. અમારી એક
જ યાત્રા થઈ છે.
યાત્રા અટકાવવાનો વારો
આવી શકે છે
હું મારી પત્ની, દીકરો-દીકરી જમાઈ સાથે ચારધામની યાત્રા કરવા આવ્યાં છે. યમનોત્રીની યાત્રા
પૂર્ણ કરીને આવ્યા છે, પણ નેતાલમાં અટવાઈ ગયા છે. 10 દિવસના કાર્યક્રમ હતો. કેદારનાથનો કાર્યક્રમ હતો, પણ ગંગોત્રીમાં ભારે
વરસાદને કારણે નેતાલમાં મહિમા રિસોર્ટમાં ફસાઇ ગયા છે. ત્રણ દિવસ આગાહીને કારણે
અમે આગળ જઇ શક્યા નથી. આગળનો પ્રોગ્રામ કેવો રહેશે એ કહેવું મુશ્કેલે છે. - અવિરોધ
મેકવાન, મણિનગર.