રાજકોટ:શહેરના મોરબી
રોડ પર રાજમોતી સોસાયટીમાં રહેતા અશોકભાઇ પાંભર અને તેની પત્ની પ્રભાબેને અગમ્ય
કારણોસર ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે
દોડી ગઇ હતી. અશોકભાઇનો મૃતદેહ બાથરૂમમાં પડ્યો હતો તો પ્રભાબેનનો મૃતદેહ બહાર
પડ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા
તપાસ હાથ ધરી છે. બનાવને લઇને આસપાસના ઘરોમાંથી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.