• Home
  • News
  • રાજકોટમાં પતિ-પત્નીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી, પતિનો મૃતદેહ બાથરૂમમાં પડ્યો હતો
post

આપઘાત પાછળનું કારણ અકબંધ, પોલીસે તપાસ હાથ ધરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-09 10:48:49

રાજકોટ: શહેરના મોરબી રોડ પર રાજમોતી સોસાયટીમાં રહેતા અશોકભાઇ પાંભર અને તેની પત્ની પ્રભાબેને અગમ્ય કારણોસર ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અશોકભાઇનો મૃતદેહ બાથરૂમમાં પડ્યો હતો તો પ્રભાબેનનો મૃતદેહ બહાર પડ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. બનાવને લઇને આસપાસના ઘરોમાંથી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post