ગોદામમાં કામ કરતાં માણસો જીવતા ભૂંજાયા, તમામ મૃતકો મૂળ બિહારના હતા
Written By newsonline | Ahmedabad | Published: 2022-03-23 11:19:47
હૈદરાબાદ: તેલંગાણાના હૈદરાબાદ ખાતે બુધવારે ભારે મોટી આગ
હોનારતની ઘટના બની છે. હૈદરાબાદના બાયોગુડા ખાતે લાકડાના એક ગોદામમાં આગ લાગવાના
કારણે 11
લોકોના
સળગી જવાથી મોત થયા છે. આ ઉપરાંત અનેક લોકો આગની ઝાળ લાગવાના કારણે દાઝી ગયા છે.
આગ હોનારત બાદ ચારે તરફ
અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવાના કારણે ત્યાં કામ કરતાં લોકો જીવતા
ભૂંજાયા હતા અને તેઓ સૌ બિહારના હોવાનું સામે આવ્યું છે. હજુ સુધી આગ લાગવાનું
ચોક્કસ કારણ સામે નથી આવ્યું અને પોલીસે આ મામલે તપાસ આરંભી છે.