રાજનાથસિંહે સ્પષ્ટતા કરી - સરહદ પર ચીન દ્વારા પોતાના સૈન્યને વધારવું તે આક્રમક વર્તન, ભારતની સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન નહીં
ગલવાન
ઘાટીમાં અથડામણ (15 જૂન) બાદ પહેલી વખત
ભારત અને ચીનના રક્ષામંત્રી વચ્ચે શુક્રવારે રશિયામાં યોજાયેલી બેઠકમાં આમને-
સામાને વાતચીત થઇ હતી. અઢી કલાક સુધી ચાલેલી આ બેઠક યોજાઈ હતી. શંઘાઇ કોઓપરેશન
ઓર્ગેનાઇઝેશન (SCO)ની બેઠકને લઈને
રાજનાથસિંહ રશિયાના પ્રવાસે છે. ભારત અને ચીનના રક્ષામંત્રી વચ્ચે યોજાયેલી
બેઠકમાં વાતચીતમાં મુખ્ય મુદ્દો સરહદ વિવાદ હતો. રાજનાથસિંહે વિદેશમંત્રી
વેઇ ફેંગેને કહ્યું કે ગલવાન ઘાટી સહીત લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર છેલ્લા કેટલાક
મહિનાઓથી તણાવભર્યો માહોલ છે. સરહદ પર ચીન દ્વારા પોતાના સૈન્યને વધારવું તે
આક્રમક વર્તન દર્શાવે છે. જે દ્વિપક્ષીય સમજૂતીનું ઉલ્લંઘન છે.
રાજનાથસિંહે
કહ્યું હતું કે ભારતીએ સેનાએ સરહદ પર સંયમિત વ્યવહાર દર્શાવ્યો છે. પરંતુ તે પણ
સાચું છે કે તે જ સમયે ભારતની સાર્વભૌમત્વ અને ભારતીય સરહદોની સંરક્ષણ અંગે કોઈ
સમાધાન થયું ન હતું. બંને પક્ષોએ તેમના નેતાઓની સમજના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવું
જોઈએ, જેથી સરહદ પર શાંતિ કાયમ
રહે. આ સાથે બંને દેશોએ તેવી કાર્યવાહીથી પણ બચવું જોઈએ, જેનાથી વિવાદ વધુ વકરી
શકે.
રાજનાથની ચીનને સલાહ
રક્ષામંત્રી
રાજનાથસિંહે કહ્યું હતું કે ચીને જલ્દીથી ભારત સાથે મળીને કામ કરવું જોઈએ, જેથી લદ્દાખમાં સમજૂતી
અને પ્રોટોકોલના આધાર પર પેગોન્ગ તળાવ જેવા વિવાદિત વિસ્તારોમાંથી બંને પક્ષે
સૈન્ય કાર્યવાહી કરી શકાય. હાલની પરિસ્થિતિ જોતાં બંને પક્ષે જવાબદારી બતાવવી
જોઈએ. કોઈપણ એવા પગલાં ન લો જેનાથી પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બને.