ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષની કાર દ્વારા કચડાઈ જવાથી ખેડૂતોના મોતના સંદર્ભમાં પોલીસે આશિષ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે
ઉત્તરપ્રદેશના પુર્વ સીએમ અખિલેશ
યાદવે કહ્યું કે પોલીસ સ્ટેશનની સામે જે પોલીસની ગાડીને સળગાવવામાં આવ્યું હતું.
તેને પોલીસ દ્વારા જ સળગાવી દેવામાં આવ્યું હતું. અખિલેશે કહ્યું કે આ બધુ
આંદોલનને નબળું પાડવા માટે કરવામાં આવી રહ્યું છે. અખિલેશે કહ્યું કે જો આ સરકાર
અમને લખીમપુર જવાની પરવાનગી નહીં આપે તો તેઓ ત્યાં (લખનઉ) ધરણા પર બેસીને
સત્યાગ્રહ કરશે. ત્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ ધરણા પર
બેસી રહેશે.
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં
રવિવારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષની કાર દ્વારા કચડાઈ જવાથી
ખેડૂતોના મોતના સંદર્ભમાં પોલીસે આશિષ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. આશિષ સહિત 14 લોકો સામે
તોફાનો અને ષડયંત્રનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. રવિવારે લખીમપુર ખીરીમાં
ખેડૂતોના આંદોલન વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં 8 લોકોના મોત થયા હતા થયા.
અહીં, કોંગ્રેસના
મહાસચિવ પ્રિયંકા ગાંધી મૃતકોના પરિવારજનોને મળવા મોડી રાત્રે દિલ્હીથી લખનઉ
પહોંચ્યા હતા. તેના થોડા સમય પછી તે લખીમપુર જવા રવાના થયા હતા. પરંતુ સવારે 5:30
વાગ્યે પ્રિયંકા ગાંધીને સીતાપુર જિલ્લાની હરગાંવ બોર્ડર પર
પોલીસે કસ્ટડીમાં લીધા હતા. પોલીસની નજરથી બચતા પ્રિયંકા રૂટ બદલીને લખીમપુર જઈ
રહ્યા હતા. તેમને પીએસી ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવ્યા છે. ડીએમ એસપી સહિત ભારે
પોલીસ ફોર્સ સ્થળ પર છે. બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ લખીમપુર-ખીરી જવાની
વાત કરી હતી. તેમના ઘરની બહાર પર મોટા પ્રમાણમાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા
છે.
લખીમપુરમાં ઈન્ટરનેટ સેવા બંધ
મોડી રાત સુધી ચાલેલા હંગામાને પગલે અફવાઓ ફેલાવાની
સંભાવનાને જોતા આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. ખેડૂતોનો
આરોપ છે કે કેન્દ્રીય મંત્રી આશિષ મિશ્રાનો પુત્રએ તેમના સાથીઓને કારથી ટક્કર મારી
હતી. આ પછી જ હંગામો થયો અને હિંસામાં ભાજપના નેતાના ડ્રાઈવર સહિત કુલ આઠ લોકોના
મોત થયા હતા.