પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનના વર્ચસ્વ પર લગામ મૂકવી અને જવાબ આપવો
વડાપ્રધાન નરેન્દ્ર
મોદી શાંઘાઈ કોઓપરેશન સમિટ (SCO)નું વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરી રહ્યા છે. પાકિસ્તાનના
વડાપ્રધાન શાહબાઝ શરીફ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એમાં ભાગ
લઈ ચૂક્યા છે. PM મોદીએ કહ્યું- કેટલાક દેશો આતંકવાદીઓને શરણ આપે છે. આ ક્ષેત્રીય શાંતિ માટે
મોટું જોખમ છે. આતંકવાદ પર બેવડા માપદંડ માટે કોઈ જગ્યા નથી.
તેમણે એ પણ જાહેરાત કરી
હતી કે ઈરાન SCOમાં જોડાશે. આ માટે તેમણે ઈરાનના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને
કહ્યું- ભારતનો સિદ્ધાંત છે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. અમે SCOને પણ અમારું કુટુંબ
માનીએ છીએ.
મોદીના ભાષણની 3 મોટી વાત...
1. SCO પણ અમારો પરિવાર છે
પીએમ મોદીએ કહ્યું- ભારતનો સિદ્ધાંત છે કે આખી દુનિયા એક પરિવાર છે. અમે SCOને પણ અમારું કુટુંબ
માનીએ છીએ. SCO મિલેટ ફૂડ ફેસ્ટિવલ, ફિલ્મ ફેસ્ટિવલ, ક્રાફ્ટ મેલા, થિંક ટેન્ક કોન્ફરન્સ જેવો કાર્યક્રમ પહેલીવાર થયો હતો. આ કાર્યક્રમ
વારાણસીમાં યોજાયો હતો, જે SCOની પ્રથમ પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની છે. અમે SCO દેશોના યુવાનોની
પ્રતિભાને ઉજાગર કરવા માટે ઘણા કાર્યક્રમો કર્યા છે.
2. આતંકવાદ પ્રાદેશિક
શાંતિ માટે જોખમ
તેમણે કહ્યું હતું કે કેટલાક દેશો તેમની નીતિઓમાં સરહદ પારના આતંકવાદને સ્થાન
આપે છે. આતંકવાદીઓને શરણ આપે છે. આતંકવાદ પ્રદેશની શાંતિ માટે જોખમ છે. આવી
બાબતોમાં બેવડાં ધોરણો રાખવા માગતા નથી. આપણે સાથે મળીને આતંકવાદ સામે લડવું પડશે.
3. અફઘાનિસ્તાનમાં
માનવતાવાદી સહાયની પ્રાથમિકતા
અફઘાનિસ્તાન પર ભારતની ચિંતા અન્ય SCO સભ્યો જેવી જ છે.
અફઘાનિસ્તાનના નાગરિકોને માનવ સમાનતા, મહિલાઓ અને બાળકોના
અધિકારો તથા લઘુમતીઓની સુરક્ષા એ અમારી સહિયારી પ્રાથમિકતા છે.
શા માટે SCO ભારત માટે મહત્ત્વપૂર્ણ
છે
SCO ભારતને આતંકવાદ સામેની
લડાઈ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર મક્કમ રહેવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું
પાડે છે.
નિષ્ણાતોના મતે, SCO સંબંધિત ભારતની ત્રણ
મુખ્ય નીતિ છે:
·
રશિયા સાથે સંબંધો મજબૂત કરવા
·
પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનના વર્ચસ્વ પર લગામ મૂકવી અને
જવાબ આપવો
·
મધ્ય એશિયાના દેશો સાથે સહકાર વધારવો
·
SCOમાં જોડાવાના ભારતનાં મુખ્ય ધ્યેયો પૈકી એક તેના મધ્ય એશિયન રિપબ્લિક (CARs)ના ચાર સભ્યો -
કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સાથે આર્થિક સંબંધોને મજબૂત કરવાનો છે.
·
આ દેશો સાથે કનેક્ટિવિટીનો અભાવ અને આ ક્ષેત્રમાં ચીનના
દબદબાને કારણે ભારત માટે આમ કરવું મુશ્કેલ બન્યું છે.
·
2017માં SCOમાં સામેલ થયા બાદ આ મધ્ય એશિયાઈ દેશો સાથે ભારતનો વેપાર વધ્યો છે. 2017-18માં આ ચાર દેશ સાથે
ભારતનો વેપાર 11 હજાર કરોડ રૂપિયા હતો, જે 2019-20માં વધીને 21 હજાર કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો છે.
·
આ સમયગાળા દરમિયાન ભારત સરકાર અને ખાનગી કંપનીઓએ પણ આ
દેશોમાં સોનાનું ખાણકામ, યુરેનિયમ, પાવર અને એગ્રો-પ્રોસેસિંગ એકમોમાં રોકાણ કર્યું હતું.
·
મધ્ય એશિયામાં વિશ્વના ક્રૂડ ઓઈલ અને ગેસના ભંડારનો લગભગ 45% હિસ્સો છે, જે બિનઉપયોગી રહે છે.
એટલા માટે આ દેશો આવનારાં વર્ષોમાં ભારતની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે
મહત્ત્વપૂર્ણ છે.
·
તાજેતરની SCO સમિટ દરમિયાન ભારતની નજર આ મધ્ય એશિયાઈ દેશો સાથેના
સંબંધોને વધુ મજબૂત કરવા પર રહેશે.