પિચને હેર ડ્રાયર અને ઈસ્ત્રીથી સૂકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
ગુવાહાટી : ભારત અને શ્રીલંકા
વચ્ચે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમ ખાતેની પ્રથમ T-20 વરસાદના લીધે રદ થઇ
છે. ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. પરંતુ ત્યારબાદ વરસાદ પડતા મેચ શરૂ થઇ ન
હતી. અમ્પાયરે 3 વાર નિરીક્ષણ કર્યું હતું, પરંતુ પિચ ભીની હોવાથી મેચ ન રમાડવાનો નિર્ણય
લેવામાં આવ્યો હતો. ગ્રાઉન્ડ સ્ટાફે પિચ સૂકાવવા હેર ડ્રાયર અને ઈસ્ત્રીનો ઉપયોગ
કર્યો હતો. જોકે તેમ છતાં મેચ શરૂ થઇ શકી ન હતી. બંને ટીમ વચ્ચે બીજી T-20 7 જાન્યુઆરીએ ઇન્દોરમાં
રમાશે.
ભારતની પ્લેઇંગ 11: શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કપ્તાન) , શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, સુંદર, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની અને જસપ્રીત બુમરાહ
શ્રીલંકાની પ્લેઇંગ 11: ગુનતિલકા, ઓ ફર્નાન્ડો, આવિષ્કા ફર્નાન્ડો, રાજપક્ષ, કુશલ પરેરા (વિકેટકીપર), ધનંજય સિલ્વા, શનકા, ઇસુરુ ઉદના, હસરંગા, લસિથ મલિંગા (કપ્તાન) અને કુમારા