ચેન્નાઈમાં છેલ્લા 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે
ચેન્નાઈ એરપોર્ટથી બહાર
નીકળ્યો હતો કે ટેક્સી વાળાએ ઘેરી લીધો. બધુ બંધ થઈ ગયું. બસ પણ ન હતી કે નાટ્રેન.
તોફાન આવે છે,
ક્યાં
જવું છે?
હું
લઈ જઈશ. ઘુંટણ સુધીની લુંગી અને શર્ટ પહેરેલો સાઉથ ઈન્ડિયન ટેક્સી વાળો મારી પાછળ
પડી ગયો. હિન્દી, અંગ્રેજીની ખિચડી બનાવી તે સતત તોફાનની વાતો કરતો
રહ્યો. મને સમજણ નહોતી પડતી કે તે મને તોફાનથી બિવડાવી રહ્યો છે કે પછી પોતાની
અંદરની બીકને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તોફાન હાલ પણ બંગાળની ખાડીમાં આગળ વધી
રહ્યું હતું. ચેન્નાઈથી લગભગ 400 કિમી દૂર. પણ તેની બીક
ચેન્નાઈના માથે ચઢીને પોકારી રહી હતી.
હું હવે પહેલી બુક ટેક્સીમાં સવાર થઈને મહાબલીપુરમની તરફ
નીકળી ગયો હતો. છેલ્લા 24 કલાકથી
પડી રહેલા વરસાદના કારણે શહેર પાણી પાણી હતું. નિવાર સાઈક્લોનના એઁધાણ આકાશમાં હતા
પણ તેનો અવાજ મધ્યમ પર હતો. તોફાનના કારણે બુધવારના દિવસે શાળા-ઓફિસમાં રજા આપી
દેવાઈ હતી. આખા શહેરમાં અલગ જ સન્નાટો હતો. કદાચ મગજમાં ઊભા થઈ રહેલા તોફાનની છાપ
આગળ બંગાળની ખાડીનું તોફાન પણ નાનું હતું.
મહાબલીપુરમ સુધી પહોંચતા પહોંચતા હવાની ગતિ વધી ગઈ હતી.
વરસાદ અને હવા વચ્ચે હવે મુકાબલાની સ્થિતિ હતી. રસ્તાના કાંઠે લાગેલા ઝાડની લાઈન આ
મુકાબલાથી ગભરાયા હોય તેવું લાગી રહ્યું હતું. મિથકોમાં વર્ણેલું છે કે
મહાબલીપુરમને અસુરરાજ દાનવીર મહાબલીએ વસાવ્યું હતું.
ઈતિહાસના સાક્ષ્ય પલ્લવ વંશના સંસ્થાપક નરસિંહ વર્મનનો ઉલ્લેખ
કરે છે. જેમણે આ ઐતિહાસિક નગરીને મામલ્લાપુરમ નામ આપ્યું. ઈતિહાસના ઐશ્વર્યમાં
ડુબેલી આ નગરની સમુદ્ર કાંઠામાં અજુકતો અવાજ હતો. આની લહેરોમાં નિવાર તોફાનનું જોર
આવી ચુક્યું હતું. અચાનક લહેરોનું એક ઝોંકુ પગને અડીને પસાર થયું. પાછા જતા પગ પણ
સમુદ્રની દિશામાં ખેંચાવા લાગ્યા. હવા પણ લહેરોની મદદથી ઉતર ગઈ. હું સમુદ્રના એકદમ
કાંઠેથી નિવારની વિભીષિકાના લાઈવ ટેલિકાસ્ટમાં મશગૂલ હતો. પુરેપુરુ જોર લગાવીને
બહાર નીકળ્યો. કદાચ આ નિવારની ચેતવણી હતી. આગળની યાત્રામાં સાવધાન કરવા માટે.
મહાબલીપુરમથી પુડ્ડુચેરીના રસ્તામાં સમુદ્ર અમારી સાથે સાથે
ચાલી રહ્યો હતો. સમુદ્ર કાંઠે વસેલા ઘર એકદમ નિર્જન જોવા મળી રહ્યાં હતા. ત્યાંના
રહેવાસીઓ બીજે સ્થળાંતર કરી ચુક્યા હતા. રસ્તામાં NDRFની અવરજવર જોવા મળી રહી હતી.
તમિલનાડુ પોલીસ અને તેના રેસક્યૂ ટ્રુપર્સ કોઈ પણ અણબનાવ સામે લડવા માટે એલર્ટ જોવા
મળી રહ્યાં હતા. અમે અત્યાર સુધી તમિલનાડુ-પુડ્ડુચેરીની સરહદ પર વસેલા
અરીયાનકુપ્પન સુધી પહોંચી ચુક્યા હતા. આ માછીમારોનું ગામ હતું.
અહીંયાના સમુદ્ર કાંઠા પર માછીમાર તેમની બોટ અને ફિશિંગ નેટ
એક કાંઠા પર હતી. તે સુની નજરોથી સમુદ્રને જોઈ રહ્યાં હતા. સમુદ્ર તેમનો અન્નદાતા
હતો. તેમના પરિવારનો પાલનકર્તા હતો. તે સમજી શક્યા ન હતા કે તેમનો પાલનકર્તા કઈ
વાત માટે આટલો નારાજ છે? તેમણે
જણાવ્યું કે, પ્રશાસને
તેમને પાંચ દિવસ પહેલા જ આ તોફાનની ચેતવણી આપી હતી. એટલા માટે કોઈ પણ સમુદ્રમાં
નથી આવ્યું. તેમનું કોઈ પોતાનું જોખમમાં નથી.
અમે હવે પુડ્ડુચેરીમાં દાખલ થઈ ચુક્યા હતા. અહીંયા મહર્ષિ
અરવિંદની તપોસ્થલી છે.આ તોફાનના રડારમાં તમિલનાડુના મહાબલીપુરમ ઉર્ફ મામલ્લાપુરમથી
માંડી પુડ્ડુચેરીના કરાર્ઈકલના કાંઠા હતા. અમારો હેતું આ આખાય રૂટની સમીક્ષા કરીને
નિવારની આપત્તિનો અંદાજો લગાવવાનો હતો. પુડ્ડુચેરીના ગાંધી બીચ અથવા રોક બીચ પર
બંગાળની ખાડીની ગર્જના વધી રહી હતી. અહીંયાથી પણ અમારે લાઈવ કરવાનું હતું.
મહાબલીપુરમની ચેતવણી મગજમાં હતી. એટલા માટે અમે અહીંયા લહેરોથી થોડેકે અંતરે હતા.
લહેરોની જગ્યા તો નક્કી છે, પણ પવનનું શું? તે ક્યાં કોઈનું સાંભળે છે. ગાંધી
બીચ પર સન્નાટો હતો. પવન એટલી જોરે ફુંકાયો કે અમારી છત્રીઓ ઉડી ગઈ. વિરુદ્ધ
દિશામાંથી આવી રહેલા દબાણના કારણે છત્રીઓ ઉલટી થઈ ગઈ. આ એક દિવસની અંદર નિવારની
મને બીજી વખત ચેતવણી હતી.
હવે હું કરાર્ઈકલમાં છું. અહીંયા બીકને વચ્ચે પણ રોજી
રોટીનો સવાલ છે. અમને અહીંયા ઠેર ઠેર એવા લોકો મળ્યો છે તોફાનના જોખમ વચ્ચે પણ
રોજી રોટીની ભટ્ઠી માંડીને બેઠા હતા. તેમના લીધે જ ચા અને ખાવાની થોડી વ્યવસ્થા થઈ
રહી હતી. તેમને જોઈને લાગ્યું કે, સાચ્ચે જ મનુષ્યની જિજીવિષાનો કોઈ જવાબ નથી. નિવાર ગમે
તેટલું શક્તિશાળી કેમ ન હોય પણ આ જિજીવિષાથી હારી જશે.
અભિષેક
ઉપાધ્યાય, TV9 ભારતવર્ષમાં એડિટર, સ્પેશ્યલ
પ્રોજેક્ટ તરીકે કાર્યરત છે.