• Home
  • News
  • જે પી નડ્ડાએ જણાવ્યું કે, ભાજપ બંગાળની ચૂંટણી જીતી શક્યું હોત પણ....
post

ગયા વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે આઠ તબક્કામાં મતદાન કરાવવામાં આવ્યુ હતુ

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-10 12:00:30

કોલકાતા: પશ્ચિમ બંગાળના લોકો સાથે સંપર્ક સાધતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે પાર્ટી બંગાળી ગૌરવને જાળવી રાખવા માટે પોતાની લડત જારી રાખશે અને આને ઓછી કરવાનો પ્રયત્ન કરનારને બેનકાબ કરશે. નડ્ડાએ અહીં એક બેઠકને સંબોધિત કરતા એ પણ કહ્યુ કે જો કોવિડ મહામારીની બીજી વિનાશકારી લહેરએ ચૂંટણી પ્રચાર અભિયાનને પ્રભાવિત ના કરી હોત તો ભાજપ ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યની સત્તામાં આવી ગઈ હોત. 

તેમણે કહ્યુ, અમે બંગાળી ગૌરવને જાળવી રાખવા અને આ માટે લડત જારી રાખવાની જરૂર છે. આપણે બંગાળી ગૌરવને ઓછો કરવાનો પ્રયત્ન કરનારને બેનકાબ કરવાની જરૂર છે. નડ્ડાએ કહ્યુ, અમને આશા છે કે આગામી વખતે અમે સત્તામાં આવી જઈશુ અને પોતાની વિજય રેલી બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં કરશે.

ભાજપ અધ્યક્ષે કહ્યુ, ચૂંટણી પ્રચાર અભિયાનમાં જે રીતની ગતિ અમે પકડી હતી. તેનાથી સ્પષ્ટ રીતે લાગી રહ્યુ હતુ કે અમે સત્તામાં આવીશુ પરંતુ, કોવિડની બીજી લહેરના પ્રકોપના કારણે આપણે ચોથા તબક્કાના મતદાનના તાત્કાલિક બાદ પોતાનો પ્રચાર અભિયાન રોકવા મજબૂર થવુ પડ્યુ. 

ગયા વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે આઠ તબક્કામાં મતદાન કરાવવામાં આવ્યુ હતુ. જોરદાર ચૂંટણી પ્રચાર છતાં ભાજપ રાજ્યમાં સત્તારૂઢ તૃણમુલ કોંગ્રેસને પરાજિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. 294 સદસ્યીય વિધાનસભામાં ભાજપને 77 જ્યારે ટીએમસીને 213 બેઠક પર જીત મળી હતી.

પાડોશી રાજ્ય બિહારના રાજકીય પરિદ્રશ્યમાં પરિવર્તન લાવવા માટે ભાજપના સંઘર્ષનો ઉલ્લેખ કરતા નડ્ડાએ કહ્યુ કે કોઈએ ક્યારેય વિચાર્યુ નહોતુ કે પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ જેલ જશે પરંતુ આ હકીકતમાં થયુ કેમ કે કાયદાએ પોતાનુ કામ કર્યુ.

 

adv

Related News

post
post
post
post
post
post
post