ગત મોડી રાત્રે બેંગ્લુરુમાં લગભગ પાંચ મંત્રીઓ વચ્ચે આ મામલે બેઠક થઈ હતી.
કોરોના વાયરસ સંકટ વચ્ચે દેશના અલગ-અલગ રાજ્યોમાં રાજનૈતિક હલચલ સતતા ચાલુ છે. કર્ણાટકમાં ભારતી જનતા પાર્ટીની સરકાર સામે વધુ એક વાર સંકટ સર્જાયું છે. રાજ્યમાં થોડા દિવસોથી એ ચર્ચાઓ ચાલી રહી છે કે યેદિયુરપ્પાની મુખ્યમંત્રી પદેથી વિદાઈ થઈ શકે છે. જો કે, ભાજપે આ વાતોનું ખંડન કરી દીધું છે. ગત મોડી રાત્રે બેંગ્લુરુમાં લગભગ પાંચ મંત્રીઓ વચ્ચે આ મામલે બેઠક થઈ હતી.
કર્ણાટક સરકારમાં
મંત્રી સુધાકરના ઘર પર થયેલી આ બેઠકમાં પાચં અન્ય મંત્રી પણ સામેલ થયા હતા. અહીં
જો યેદિયુરપ્પાની વિદાય જેવી સ્થિતિ બને છે તો તે બાદની રણનીતિ પર ચર્ચા કરવામાં
આવી હતી. આ બેઠકમાં સુધાકરની સાથે બીએસ પાટિલ, આનંદ સિંહ, સોમશેખર, નાગેશ પણ સામેલ રહ્યા. જણાવી દઈએ કે
સિદ્ધારમૈયાની સરકાર તૂટ્યા બાદ આ તમામ ધારાસભ્યો યેદિયુરપ્પાના ભરોસે જ ભાજપની
સાથે આવ્યા હતા અને બાદમાં તેઓને મંત્રી પદ આપવામાં આવ્યું હતું.
હવે
જો યેદિયુરપ્પાની સીએમ પદેથી વિદાય થશે તો, તેમના ભવિષ્ય ઉપર પણ સંકટના વાદળો ઘેરાઈ શકે
છે. તેવામાં આ બેઠકમાં આગળની રણનીતિ અંગે મંથન કરવામાં આવ્યું હતું. જો કે આ મામલે
ભાજપે આ તમામ અટકળોનું ખંડન કર્યું હતું. સાથે ચર્ચા એ છે કે ડિસેમ્બર સુધી
યેદિયુરપ્પાને સીએમની ખુરશી પરથી હટાવી શકે છે. આ ઉપરાંત તેમની વધતી ઉંમર અને અનેક
મંત્રીઓ તેમજ ધારાસભ્યો પણ યેદિયુરપ્પાથી નારાજ છે.