‘રાબતા’ ફિલ્મ વખતે સુશાંત અને ક્રિતિ વચ્ચેના અફેરની ચર્ચાઓ પૂરબહારમાં ચાલી હતી
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને નવ મહિના જેટલો લાંબો
સમય વીતી ગયો છે. તેની સાથે ‘રાબતા’ ફિલ્મમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કૃતિ સેનને પોતાની
અકળાવનારી ચુપ્પી વિશે મૌન તોડ્યું છે. એના કહેવા પ્રમાણે સુશાંતના મોત બાદ
ચારેકોર એટલી બધી નેગેટિવિટી ફેલાઈ ગઈ હતી, અને એ એનો ભાગ નહોતી બનવા માગતી.
‘લોકો તદ્દન અસંવેદનશીલ બની ગયેલા’
એક
ન્યૂઝ વેબસાઇટ સાથે થયેલી વાતચીતમાં કૃતિએ કહ્યું કે, ‘એક સમયે ચારેકોર એટલો કોલાહલ થઈ
રહ્યો હતો કે હું તેનો હિસ્સો નહોતી બનવા માગતી. લોકો તદ્દન ક્રૂર અને નિષ્ઠૂર બની
ગયેલા. મારે એ નેગેટિવિટીનો ભાગ નહોતું બનવું.’
‘બોલીને ઘોંઘાટ કરવાને બદલે સોશિયલ
મીડિયા પર પણ કહી શકો’
કૃતિએ
કહ્યું કે, ‘હું એ
વખતે શું અનુભવી રહી હતી તે હું જ જાણતી હતી અને તે બધું મારે મારા સુધી જ સીમિત
રાખવું હતું. મને નથી લાગતું કે હું જે અનુભવી રહી હતી તે મારે બીજા કોઈ સાથે શૅર
કરવાની જરૂર હતી. વળી, તમારે
જે કહેવું હોય તે તમે સોશિયલ મીડિયા પર પણ કહી જ શકો છો. બોલીને ઘોંઘાટ કરવાને
બદલે લખીને પણ વ્યક્ત થઈ શકો છો.’
કૃતિએ સોશિયલ મીડિયા પર ફીલિંગ શૅર
કરેલી
14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતનો
મૃતદેહ તેના ફ્લેટના બેડરૂમમાં પંખે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તેના બે દિવસ
પછી કૃતિ સેનને સોશિયલ મીડિયા પર પોતાની ફીલિંગ શૅર કરી હતી. એણે ‘રાબતા’ ફિલ્મનો ફોટોગ્રાફ શૅર કરીને
લખ્યું હતું કે, ‘સુશ, મને ખબર છે કે તારો પ્રતિભાશાળી
દિમાગ જ તારો બેસ્ટ ફ્રેન્ડ અને તારો સૌથી મોટો દુશ્મન હતો. તારી જિંદગીમાં એવું
કંઈ થયું જેને કારણે તને જીવવા કરતાં મરવાનું વધુ સહેલું લાગ્યું, તે જાણીને હું પૂરેપૂરી ભાંગી પડી
છું. કાશ તારી આસપાસ એવા લોકો હોત જે તને આ સ્થિતિમાંથી ઉગારી શક્યા હોત. કાશ તેં
તને પ્રેમ કરતા લોકોને તારાથી દૂર ન ધકેલી દીધા હોત. તારી અંદર જે ભાંગી ગયું હતું
તેને હું સમું કરી શકી હોત. પરંતુ હું એવું કરી ન શકી. હું ઘણું બધું ઇચ્છું છું.
મારા હૃદયનો એક ટુકડો તારી સાથે ચાલ્યો ગયો છે અને એક ટુકડો તને કાયમ જીવંત રાખશે.
મેં ક્યારેય તારી ખુશી માટે પ્રાર્થના કરવાનું છોડ્યું છે કે ન ક્યારેય છોડીશ.’