ભૂમાફિયા અને ખોટી પાવર એટર્નીનો દુરુપયોગ કરનારને મિલકતની બજાર કિંમત જેટલો દંડ પણ થશે
લોકોની ખોટા
નામે જમીન પચાવી પાડીને બીજાને વેચાણ કરનાર ભૂમાફિયા તત્વો સામે વિધાનસભામાં
સુધારા વિધેયક મુકાશે. તેના અંતર્ગત 7 વર્ષની કેદ
અને મિલકતની બજાર કિંમત જેટલા દંડનું કડક સજાની જોગવાઈ કરાઈ છે. . જેને પગલે મિલકત
ધારકો, સામાન્ય લોકો અને ખેડૂતના હકનું રક્ષણ થશે.
પાવર ઓ એટર્નીના દુરુપયોગ સામે કડક કાર્યવાહીનો
મુખ્યમંત્રીનો નિર્ધાર
ભારતીય નોંધણી ધારા દસ્તાવેજ
રજિસ્ટ્રેશન એક્ટ 1908ની કેટલીક જોગવાઇઓમાં મહત્વપૂર્ણ સુધારા સુચવતું ગુજરાત
સુધારા વિધેયક-2020 વિધાનસભામાં મૂકાયું છે. તે આગામી વિધાનસભા સત્રમાં મંજૂર
કરી કાયદો બનશે લેન્ડ ગ્રેબિંગ-ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડવી-પાવર ઓફ
એટર્નીના દુરૂપયોગથી થતા દસ્તાવેજો સામે હવે કડક હાથે કામ લેવા મુખ્યમંત્રીનો અડગ
નિર્ધાર વ્યક્ય કર્યો છે.
સુધારા વિધેયકમાં ખાસ શું છે?
·
દસ્તાવેજ
નોંધણીની કામગીરી પારદર્શી-સરળ-ચોકસાઇપૂર્ણ બનાવાશે
·
ભૂમાફિયાઓ
મિલકત ધારકોની મિલકત હવે છેતરપિંડીથી હડપ નહીં કરી શકે
·
મિલકત
ધારકોના-સામાન્ય માનવીના-ખેડૂતના હકોના રક્ષણ માટે મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા
·
સામાન્ય
નાગરિક જો ઇચ્છે તો કોઇ વકીલ-દસ્તાવેજ લખનારની મદદ વગર પોતાની જાતે જ ઓનલાઇન
દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરી શકશે
·
ભળતી
વ્યકિત-ખોટી વ્યકિત દસ્તાવેજ નોંધણી નહીં કરાવી શકેઞ
·
ઇલેક્ટ્રોનિક
માધ્યમથી દાબ-દબાણ કે છેતરપિંડીથી દસ્તાવેજ પર રોક લાગશે
·
દસ્તાવેજ
બનાવવાના ખર્ચ-સમયની બચત થશે
·
દસ્તાવેજ
નોંધણી માટે રજૂ કરતી વખતે પોતે મિલકત માલિક હોવાના આધાર-પુરાવા રજૂ કરવા પડશે
·
ખોટી વિગતો
આપનાર-પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ કરનાર-દાબ-દબાણથી-છેતરપિંડીથી દસ્તાવેજ કરનારને 7 વર્ષની કેદ-મિલકતની બજાર કિંમત જેટલા દંડની કડક સજા થશે
·
સાચા મિલકત
માલિકની ઓળખ સરળ બનશે
·
સરકારી-જાહેર
સંસ્થાની-શૈક્ષણિક સંસ્થા-ધર્માદા ચેરિટેબલ ટ્રસ્ટની મિલકત વેચાણ વ્યવહાર માટે
અધિકૃત વ્યકિતને સક્ષમ અધિકારીની પૂર્વમંજૂરી આવશ્યક.