શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ અગ્ર સચિવ હૈદર,ગાંધીનગર કલેકટર કુલદીપ આર્ય ઉપસ્થિત રહ્યા
ગાંધીનગર: યુક્રેન- રશિયા યુદ્ધની સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય અને
ગુજરાતી યુવા વિદ્યાથીઓને ઓપરેશન ગંગા અંતર્ગત પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન
અને પ્રયાસોથી સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન અન્વયે આવેલી
પહેલી ફલાઇટમાં ગુજરાતના 100 જેટલા યુવા
વિદ્યાથીઓ મુંબઈ અને દિલ્હી આવી ગયા છે.
મુખ્યમંત્રીએ ખબર-અંતર
પૂછ્યા:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલે દિલ્હીથી વોલ્વો બસ મારફતે વહેલી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને ગાંધીનગર
સર્કિટ હાઉસ ખાતે પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા હતા અને તેમના ક્ષેમ કુશળ પૂછ્યા હતા મુખ્યમંત્રીએ આ યુવાઓ
સાથે સંવાદ કર્યો હતો તેમજ રાજ્ય સરકાર
તેમની મદદ માટે તત્પર છે તેનો સધિયારો વાલીઓને આપ્યો હતો. આ સમયે તેમની સાથે શિક્ષણ
મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ અગ્ર સચિવ હૈદર,ગાંધીનગર કલેકટર કુલદીપ
આર્ય ઉપસ્થિત રહ્યા.
સરકારનો માન્યો આભાર:
આ વિદ્યાથીઓ અને તેમના
માતા પિતાએ હેમખેમ વતન પરત લાવવાની વ્યવસ્થા માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદી
નો તેમજ ગુજરાત સુધી પહોંચાડવાની સુવિધા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર
વ્યકત કર્યો હતો