હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 2થી 3 દિવસમાં ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચી જશે
બે ચક્રવાતી વાવાઝોડાં તાઉ-તે અને યાસ પસાર થયાં બાદ હવે
ચોમાસાની રાહ જોવાઈ રહી છે. ચોમાસાની ઉત્તરી સરહદ કોમોરિન સાગર (કન્યાકુમારી નજીક)
સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી છે કે એ આગામી 2થી 3 દિવસમાં કેરળના દરિયાકાંઠે પહોંચી
જશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવે કહ્યું હતું કે ચોમાસું 31 મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચી
જશે.
કેરળમાં ચોમાસું પહોંચવાની સામાન્ય તારીખ આમ તો 1 જૂન છે, પરંતુ હવામાન વિભાગે આગાહી કરી હતી
કે 31 મેના
રોજ પહોંચશે, એમાં 4 દિવસ પ્લસ-માઈનસ રહેવાની શક્યતા
જણાવવામાં આવી છે.
હાલમાં સામાન્ય ગતિથી આગળ વધી
રહ્યું છે ચોમાસું
ખાનગી
હવામાન એજન્સી સ્કાઈમેટે ચોમાસું પહોંચવાની બે દિવસ આગળ-પાછળ રહેવાની શક્યતાઓ સાથે
30 મેની
શક્યતા જણાવી છે. ચોમાસું પોતાની સામાન્ય ગતિએ આગળ વધી રહ્યું છે.
આંદામાન-નિકોબારના દ્વીપ સમૂહમાં પોતાની નિર્ધારિત તારીખે 21 મેના રોજ પહોંચ્યા બાદ એ સતત
ઉત્તરી- પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. એ 24 મેના રોજ શ્રીલંકાના દક્ષિણ કિનારે
પહોંચી ચૂક્યું હતું અને બે-ત્રણ દિવસમાં એ ઉત્તર કાંઠા નજીક પહોંચી ચૂક્યું છે.
ગુરુવારે ચોમાસું માલદિવ્સને પણ પાર કરી ચૂક્યું છે.
ચોમાસુંની ઉત્તરી સરહદ કેરળના દરિયાકાંઠેથી લગભગ 200 કિલોમીટર દૂર છે. તાઉ-તે વાવાઝોડું
પસાર થયા દરમિયાન અને બાદમાં પણ કેરળમાં ભારે વરસાદ પડ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં
જ કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો હતો, પરંતુ ગુરુવારથી તેમાં ઘટાડો આવ્યો
છે.
બંગાળની ખાડીમાં આવેલા યાસ વાવાઝોડાને કારણે પણ ચોમાસું
જલદી પહોંચશે, એટલે
કે 27-29 મે
સુધી પહોંચવાની શક્યતા જણાવવામાં આવી છે, પરંતુ હવે 30 મે એ એક જૂનની વચ્ચે જ ચોમાસું
પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગે ચોમાસાના આગળ વધવા પર સતત નજર રાખી રહ્યું છે.