રિપોર્ટસ અનુસાર આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ઋષિ કપૂર અને નીતુ કપૂરના નક્શેકદમ પર ચાલશે
મુંબઈ: રિપોર્ટસ
અનુસાર આલિયા ભટ્ટ અને રણવીર કપૂરના લગ્નના રિતી-રિવાજ 13 એપ્રિલથી
શરૂ થશે અને 17 એપ્રિલ સુધી ચાલશે. આ જોડીએ અત્યાર સુધી અફવાની પુષ્ટિ કરી નથી પરંતુ આલિયાના ભાઈ
રાહુલ ભટ્ટ અને કાકા રોબિન ભટ્ટએ આ સમાચારની પુષ્ટિ કરી છે. બીજી તરફ, કાકા મુકેશ
ભટ્ટએ આલિયા અને રણવીરની અફવા વાળા લગ્ન વિશે વાત કરવાથી ઈનકાર કરી દીધો. આલિયા
ભટ્ટની માતા સોની રાજદાને લગ્ન વિશે વાત કરવાથી ઈનકાર કરી દીધો છે.
મહેશ ભટ્ટએ કહ્યુ કે તે આલિયા અને રણવીરના લગ્ન બાદ વિવરણ આપશે. હુ અત્યારે
કંઈ પણ જણાવવાની સ્થિતિમાં નથી. મારી ભાભીએ આ લગ્ન વિશે કંઈ પણ ચર્ચા કરવાનો ઈનકાર
કરી દીધો છે. લગ્ન બાદ હું લગ્ન વિશે એક ઈન્ટરવ્યૂ આપીશ.
રિપોર્ટસ
અનુસાર આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ઋષિ કપૂર અને નીતુ કપૂરના નક્શેકદમ પર ચાલશે. આ
જોડીના મુંબઈના આર કે હાઉસમાં પારંપરિક પંજાબી લગ્ન થશે, જ્યાં ઋષિ
અને નીતૂના લગ્ન થયા હતા. લગ્ન બાદ આલિયા અને રણવીર ધાર્મિક વિધિઓ અનુસાર
ગુરુદ્વારામાં લંગર આપશે.