સોમવારે ગુજરાતમાં 247, મહારાષ્ટ્રમાં 522, દિલ્હીમાં 190, ઉત્તર પ્રદેશમાં 113, બિહારમાં 68, રાજસ્થાનમાં 49 લોકોના કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા
નવી દિલ્હી: દેશમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા 29,451 થઈ છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ તબલીઘી જમાત
પર નિશાન સાધતા કહ્યું છે કે, પહેલા જમાતીયાઓએ આખા દેશમાં
સંક્રમણ ફેલાવ્યું, હવે પ્લાઝમા ડોનેટ કરવાની અરજી કરી કોરોના વોરિયર બનવા માગે
છે. તબલીઘી જમાતે પોતે કરેલા ગુના પર શરમ કરવાની જગ્યાએ લાખો કોરોના યોદ્ધાઓનું
અપમાન કરી રહ્યાં છે. પહેલા પણ નકવીએ જમાતિયાઓ દ્વારા સંક્રમણ ફેલાવવાની ઘટનાને
તાલિબાની ગુનો ગણાવ્યો હતો. તેમણે તેના માટે સજા આપવાની પણ માગ કરી હતી.
સોમવારે ગુજરાતમાં 247, મહારાષ્ટ્રમાં 522, દિલ્હીમાં 190, ઉત્તર પ્રદેશમાં 113, બિહારમાં 68, રાજસ્થાનમાં 49 લોકોના
કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા હતા. 26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ પહોંચી ગયું છે, પરંતુ સૌથી વધારે સંક્રમણ વાળા 9 રાજ્યોમાં જ રવિવાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 24 હજાર 418 રહી હતી. આ દેશમાં કુલ
સંક્રમિતોની સંખ્યા 88 ટકા છે. જો કે, કેન્દ્રીય
મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે પૂર્વોત્તરના 8માંથી 5 રાજ્ય કોરોનામુક્ત બન્યા છે. આ
આંકડા covid19india.org
અને રાજ્ય સરકાર પાસેથી મળેલી
જાણકારી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 28 હજાર 380 લોકો સંક્રમિત છે. જેમાંથી 21,132 એક્ટિવ છે, 6362 લોકો સાજા થયા છે અને 886 લોકોના મોત નીપજ્યાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ
કોન્ફરન્સ
·
યુપી-પંજાબના એક એક જિલ્લામાંથી 28 દિવસ બાદ નવા કોરોનાના કેસ સામે આવ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય
·
24 કલાકમાં 1000થી વધુ નવા કેસ સામે આવ્યા, 3 એવા નવા જિલ્લા છે જ્યાં એક પણ કેસ નથીઃ સ્વાસ્થ્ય મંત્રાલય
·
કોરોના
સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ સતત વધી રહ્યો છેઃસ્વાસ્થ્ય મંત્રાલય
·
કોરોના
સંક્રમિત દર્દી સાથે ભેદભાવ ન કરશોઃ સ્વાસ્થ્ય મંત્રાલય
·
24 કલાકમાં કોરોનાના 381 દર્દીઓ સાજા
થયા, હાલ રિકવરી રેટ 22.17%
·
24 કલાકમાં કોરોનાના 1396 કેસ સામે
આવ્યા છે
·
85 જિલ્લામાં 14 દિવસથી એક
પણ કેસ નથી
·
દેશમાં
કોરોનાના 6,184 દર્દી સાજા થયા
·
16 જિલ્લામાં 28 દિવસથી કોઈ
કેસ સામે આવ્યા નથી
·
આપણી લડાઈ
બિમારી સાથે છે વ્યક્તિ સાથે નહીંઃ સ્વાસ્થ્ય મંત્રાલય
·
દેશમાં
કોરોનાના 27 હજારથી વધુ દર્દીઓઃ સ્વાસ્થ્ય મંત્રાલય
·
મનરેગા હેઠળ
2 કરોડ મજૂરો કામ કરી રહ્યા છે, સ્થાનિક
શ્રમિકોને ફરી રોજગાર મળ્યોઃMHA
મહત્વના અપડેટ્સ
·
નોઈડા
સેક્ટર 20ના નિઠારી હોસ્પિટલામાં કામ કરનાર હેલ્થ વર્કર કોરોના
પોઝિટિવ
·
કોરોના
વોરિયર હરજીતનું સન્માનઃ પંજાબમાં કોરોના વોરિયર હરજીત સિંહને આસિસ્ટન્ટ સબ
ઈન્સ્પેક્ટરમાંથી પ્રમોશન આપીને સબ ઈન્સપેક્ટર બનાવાયા છે. લોકડાઉન દરમિયાન
નિંહગોના હુમલામાં તેમનો હાથ કપાઈ ગયો હતો. જો કે, ડોક્ટર્સે
તેને જોડી દીધા છે. હરજીતના સન્માનમાં પોલીસ વિભાગે પણ ‘મેં ભી હરજીત’ અભિયાન
ચલાવ્યું છે. જેના હેઠળ રાજ્યના ડીજીપી દિનકર ગુપ્તાએ પોતાની વર્ધી પર હરજીત નામની
પ્લેટ લગાવી છે.
·
સ્વાસ્થ્ય
મંત્રીના ઓએસડી ઓફિસમાં સંક્રમણઃ સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના અધિકારી ઓન
સ્પેશ્યલ ડ્યૂટી ઓફિસમાં તહેનાત સુરક્ષાકર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. ન્યૂઝ
એજન્સીના સૂત્રોના હવાલાથી આ સમાચાર મળ્યા છે. આ ઓફિસ એઈમ્સના ટીચીંગ બ્લોકમાં છે.
સંક્રમિત સુરક્ષાકર્મીના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરાઈ રહી છે. ઓએસડી અને ઘણા
કર્મચારીઓને સેલ્ફ ક્વૉરન્ટીન થવાની સલાહ આપવામાં આવી છે.
·
દિલ્હીમાં 3 હોસ્પિટલના સ્ટાફ સંક્રમિતઃ બાબા સાહેબ હોસ્પિટલના 29 ડોક્ટર્સ અને સ્વાસ્થ્યકર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
બાબૂ જગજીવન રામ હોસ્પિટલમાં પણ ડોક્ટર્સ સહિત સ્ટાફના 44 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. દિલ્હીના એઈમ્સના ચોથા
નર્સ સંક્રમિત થયા છે.
·
કોરોના
સંક્રમિતે આત્મહત્યા કરીઃ કર્ણાટકમાં બેંગલુરુના વિક્ટોરિયા હોસ્પિટલમાં સોમવારે
એક 50 વર્ષના કોરોના સંક્રમિતે હોસ્પિટલની ઈમારત પરથી કૂદીને
આત્મહત્યા કરી દીધ છે.
·
સાંસદના પરિવારના
6 લોકો સંક્રમિતઃ આંધ્રપ્રદેશના કુરનૂલથી સાંસદ ડો. સંજીવ
કુમારના પરિવારના 6 સભ્ય સંક્રમિત મળ્યા છે. જેમાં સંજીવના 80 વર્ષના પિતા, 2 ભાઈ અને
તેમની પત્નીઓ અને એક ભત્રીજાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સરકારે કહ્યું- હોટ સ્પોટ નોન
હોટ સ્પોટમાં બદલાઈ રહ્યા છે
કેન્દ્ર સરકારે કહ્યું કે, દેશમાં હોટ સ્પોટ વિસ્તાર નોન હોટ સ્પોટમાં ફેરવાઈ રહ્યા
છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી, ડો. હર્ષવર્ધને 283 જિલ્લામાં છેલ્લા 28 દિવસમાં
સંક્રમિણ સ્થિતિ સામે આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે, રવિવાર સુધી 64 જિલ્લામાં 7 દિવસથી, 48 જિલ્લામાં 14 દિવસથી , 33 જિલ્લામાં 21 દિવસથી, 18 જિલ્લામાં 28 દિવસથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી. હર્ષવર્ધન રવિવારે
એઈમ્સ પહોંચ્યા હતા. અહીંયા તેમને ટ્રામાનું નિરક્ષણ કર્યું. ટ્રામા સેન્ટરને
કોવિડ વોર્ડ બનાવાયું છે.
લખનઉમાં તમામ ધાર્મિક સામૂહિત
રીતે થનારા કાર્યક્રમ પર પ્રતિબંધ
·
મુંબઈમાં
છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 12 લોકોના મોત, અહીંયા દર્દીઓની સંખ્યા 5,407એ પહોંચી
·
ઉત્તરપ્રદેશમાં
કોરોના દર્દીઓની સંખ્યા 1843 થઈ છે, અત્યાર સુધી 29 લોકોના મોત
પાંચ દિવસમાં સંક્રમણના સૌથી
વધારે કેસ
દિવસ |
કેસ |
25 એપ્રિલ |
1835 |
23 એપ્રિલ |
1667 |
26 એપ્રિલ |
1607 |
19 એપ્રિલ |
1580 |
21 એપ્રિલ |
1537 |
રાજ્ય |
કેટલા સંક્રમિત થયા |
કેટલા સાજા થયા |
કેટલા મોત |
મહારાષ્ટ્ર |
8068 |
1188 |
342 |
ગુજરાત |
3301 |
313 |
155 |
દિલ્હી |
2918 |
877 |
54 |
રાજસ્થાન |
2185 |
629 |
41 |
મધ્યપ્રદેશ |
2090 |
302 |
103 |
તમિલનાડુ |
1885 |
1020 |
24 |
ઉત્તરપ્રદેશ |
1873 |
327 |
30 |
આંધ્રપ્રદેશ |
1097 |
231 |
31 |
તેલંગાણા |
1001 |
316 |
25 |
પશ્વિમ બંગાળ |
611 |
105 |
20 |
જમ્મુ-કાશ્મીર |
523 |
137 |
06 |
કર્ણાટક |
503 |
182 |
19 |
કેરળ |
469 |
342 |
03 |
પંજાબ |
322 |
84 |
18 |
હરિયાણા |
296 |
199 |
05 |
બિહાર |
274 |
56 |
02 |
ઓરિસ્સા |
103 |
35 |
01 |
ઝારખંડ |
82 |
13 |
03 |
હિમાચલ પ્રદેશ |
40 |
22 |
02 |
આસામ |
36 |
27 |
01 |
છત્તીસગઢ |
36 |
32 |
00 |
ચંદીગઢ |
36 |
17 |
00 |
આંદામાન- નિકોબાર |
33 |
18 |
00 |
લદ્દાખ |
20 |
16 |
00 |
મેઘાલય |
12 |
00 |
01 |
પુડ્ડુચેરી |
08 |
04 |
01 |
ગોવા |
07 |
07 |
00 |
મણિપુર |
02 |
02 |
00 |
ત્રિપુરા |
02 |
02 |
00 |
અરુણાચલ પ્રદેશ |
01 |
01 |
00 |
મિઝોરમ |
01 |
01 |
00 |
દેશના રાજ્ચોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિત:2090- કોરોના સંક્રમિતોની સંખ્યાના
દ્રષ્ટીએ દેશમાં પાંચમા નંબરે છે. અહીંયા સંક્રમિતોની સંખ્યા 2137એ પહોંચી છે. જો કે સ્વાસ્થ્ય વિભાગ તરફથી રવિવારે બપોરે 3 વાગ્યના બુલેટીનમાં તેની સંખ્યા 2090 હતી. અહીંયા રવિવારે 145 કેસ સામે આવ્યા છે. ઈન્દોરમાં અત્યાર સુધી 1176 કેસ મળ્યા, જેમાંથી 57 લોકોના મોત થયા છે. ભોપાલમાં દર્દીઓની સંખ્યા 415 છે અને 9 સંક્રમિતોના મોત થયા છે.
રાહતના સમાચાર એ છે કે કુલ 399 લોકો સાજા થયા છે.
ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ1873- રાજ્યમાં રવિવારે 80 પોઝિટિવ દર્દી મળ્યા
હતા. રાજ્યમાં રવિવારે સવારે 12 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
રાજસ્થાનમાં સોમવારે 36 દર્દીઓનો કોરોના રિપોર્ટ
પોઝિટિવ આવ્યો છે. જેમાંથી ઝાલાવાડ અને જયપુરમાં 9-9, ટોન્ક અને જોધપુરમાં 6-6, કોટામાં 4 જ્યારે જેસલમેર અને
ભીલવાડામાં 1-1
કેસ
મળ્યા છે. રાજ્યમાં હવે સંક્રમિતોની સંખ્યા 2221 થઈ ગઈ છે. સાથે જ રવિવારે રાતે
સોમવાર બપોર સુધી જયપુરમાં 3 સંક્રમિતોના મોત થયા છે. તો બીજી બાજુ 14 રાજ્યોમાં ફસાયેલા
રાજસ્થાનના શ્રમિકોને લાવવાની તૈયારી રાજ્ય સરકારે કરી લીધી છે, જેની જવાબદારી 19 IAS અને IPS અધિકારીઓને સોંપવામાં
આવી છે.
ઉત્તરપ્રદેશ, સંક્રમિત
1873 રાજ્યમાં રવિવારે 80 પોઝિટિવ
મળ્યા હતા. જ્યાં 327 દર્દી સાજા થયા છે. કુલ સંક્રમિતોમાં 1040
જમાતી અને તેમના સંપર્કમાં આવેલા લોકો છે. રવિવારે સવારે 12 રિપોર્ટ
પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 3 દર્દી લખનઉના
અને 2 કાનપુરના છે. સાથે જ વારાણસીમાં 7 પોલીસકર્મી
સંક્રમિત મળી આવ્યા છે.
મહારાષ્ટ્ર, સંક્રમિત 8086- BMCએ સોમવારે જણાવ્યું કે, અહીંયા કોરોના સામે લડાઈ
લડનારા 4
દર્દીઓનો
એન્ટીબોડી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પ્લાઝ્માનો ઉપયોગ અન્ય દર્દીઓની
સારવારમાં કરી શકાશે. BMCએ સાજા થયેલા દર્દીઓને
પણ તેમના પ્લાઝ્મા ડોનેટ કરવાની અપીલ કરી છે. સોમવારે અહીંયા સૌથી વધારે 440 દર્દીઓનો કોરોના રિપોર્ટ
પોઝિટિવ આવ્યો છે.
દિલ્હી, સંક્રમિત-2918ઃ અહીંયાના બાબૂ જગજીવન
રામ હોસ્પિટલમાં ડોક્ટર્સ સહિત સ્ટાફના 44 લોકો કોરોના સંક્રમિત છે.
ત્યારબાદ હોસ્પિટલની તમામ સેવાઓ બંધ કરી દેવાઈ છે. સ્ટાફના અન્ય લોકોના સેમ્પલ પણ
લેવાયા છે. બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલના પણ 29 ડોક્ટર્સ અને
સ્વાસ્થ્યકર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હી એઈમ્સની ચોથી નર્સ સંક્રમિત
મળી છે. તેના બે બાળકો પણ સંક્રમિત થયા છે.
બિહાર, સંક્રમિતઃ290- અહીંયા સોમવારે
સંક્રમણના 13
નવા
કેસ સામે આવ્યા છે. જો કે,
હાલ
એ ખબર નથી પડી કે દર્દી કયા જિલ્લામાં મળ્યા છએ. રાજ્યમાં સંક્રમણથી સૌથી વધારે
પ્રભાવિત મુંગેર જિલ્લો છે. અહીંયા અત્યાર સુધી 36 લોકોનો કોરોના રિપોર્ટ
પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ નાલંદામાં 34 અને પટનામાં 33 સંક્રમિત છે.