• Home
  • News
  • કમુરતાં પહેલાં નવી સરકાર!:BAPSના મહોત્સવના ઉદઘાટનના દિવસે નવી સરકારની શપથવિધિની શક્યતા, PM મોદી 14મીએ ગુજરાતમાં
post

ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે પ્રથમ તબક્કાના મતદાનના આધારે કહ્યું કે, અત્યારે કેટલી બેઠકો જિતાશે તેનો આંકડો આપવો અત્યારે ઉચિત નથી, પરંતુ અમે ત્રણ વિક્રમો બનાવીશું.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-06 17:36:25

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ છે. ત્યારે 8મી ડિસેમ્બરે તેની મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં હાલના એક્ઝિટ પોલ અનુસાર ભાજપ સરકાર બનાવશે તેમ લાગી રહ્યું છે. ત્યારે નવી સરકારનું ગઠન કમુરતાં પહેલાં થાય તેવા સંજોગો બની રહ્યા છે. આવતી 14મી ડિસેમ્બરે મુખ્યમંત્રી સહિત નવી સરકારનું આખું મંત્રીમંડળ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે.

14મી ડિસેમ્બરે પ્રમુખ સ્વામી જન્મશતાબ્દીની ઉજવણી
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અમદાવાદમાં 14મી તારીખે BAPS દ્વારા પ્રમુખ સ્વામી જન્મશતાબ્દીના કાર્યક્રમમાં વડાપ્રધાન હાજરી આપવા આવી રહ્યા છે. ત્યારે આ સમયે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં જીતેલા ઉમેદવારો રાજ્યના નવા મુખ્યમંત્રી પસંદ કરી લેશે. એટલું જ નહીં, રાજ્યમાં નવી સરકાર આ જ દિવસે શપથ ગ્રહણ કરી લેશે. જો કે, આ અંગે હજુ સુધી અધિકારિક રીતે કોઈ જાહેરાત કરાઈ નથી.

શાહે સરકારના ગઠન માટે બીજા તબક્કાની ચૂંટણી પહેલાં બેઠક કરી
ગુજરાતમાં 93 બેઠકો પર મતદાન થાય તે પૂર્વે 4 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ પર એક બેઠક કરી હતી. દોઢ કલાક જેટલા લાંબા સમય સુધી અહીં ચર્ચા ચાલી હતી. ભાજપે પ્રથમ તબક્કાના ઉમેદવારોને કમલમ્ પર મળવા માટે બોલાવ્યા અને બીજા તબક્કાના ઉમેદવારોને પણ મળવા આવવા કહી દેવાયું હતું.

 

મૂળમાં આ નેતાઓ ચૂંટણી પછી બનનારી ભાજપ સરકારના નવા મંત્રીમંડળને લઇને પણ ડિઝાઇન બનાવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ દરમિયાન તેમણે મતદાન વધે તે માટે આવશ્યક પ્રયત્નોને લઇને વ્યૂહ બનાવ્યો હોવાનું સૂત્રો જણાવ્યું હતું. ભાજપના આ શીર્ષસ્થ નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કુલ મળીને ઓછામાં ઓછી 130 બેઠકો પર ભાજપનો વિજય થશે અને પ્રથમ તબક્કાની 89 પૈકી પણ મોટી સંખ્યામાં જીત મળે તેવાં સંકેતો આપ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ ત્રણેય નેતાઓની બોડી લેંગ્વેજ ખૂબ સ્વસ્થ હતી અને તેમને ભાજપની જીત પર ખૂબ વિશ્વાસ હોય તેવું લાગતું હતું.

ભાજપ છોડી અપક્ષ લડેલા ઉમેદવારોને ક્યારેય પરત નહીં લેવાય
ભાજપમાંથી ટિકિટ ન મળતાં અપક્ષ ચૂંટણી લડેલા ઉમેદવારોને ભાજપ પરત ક્યારેય નહીં લે તેવું પાટીલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સામે પક્ષે જઇને જીત્યા એમાંથી એક પણને અમે આ ચૂંટણી વખતે પાછા લીધા નથી. અપક્ષો જીતે તેવી કોઇ શક્યતા નથી જીતે તો પણ તેમને પાછા નહીં લેવાય.

સૌથી વધુ બેઠકો, વોટશેર અને લીડનો રેકોર્ડ બનશે
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું હતું અને હવે સોમવારે બીજા તબક્કાનું મતદાન થવાનું હતું, આ દરમિયાન ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે પ્રથમ તબક્કાના મતદાનના આધારે કહ્યું કે, અત્યારે કેટલી બેઠકો જિતાશે તેનો આંકડો આપવો અત્યારે ઉચિત નથી, પરંતુ અમે ત્રણ વિક્રમો બનાવીશું. આ ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ બેઠકો જીતવાનો, સૌથી વધુ વોટશેર હાંસલ કરવાનો અને મોટી લીડથી જીતતા ઉમેદવારોની સૌથી વધુ સંખ્યા બનાવવાનો રેકોર્ડ અમે તોડી નાખીશું. મતદાનની ટકાવારી ઓછી રહી તે અંગે પાટીલે કહ્યું કે, ભાજપની પેજ સમિતિનું કામ ભાજપની તરફેણમાં મતદાન કરાવવાનું હતું. સમિતિઓએ કુલ મતમાં તેમણે ભાજપના ઉમેદવારોનું મતદાન વધાર્યું છે, ભલે મતદાન નીચું ગયું પણ કુલ મતોનો આંકડો ગણીએ તો ગુજરાતમાં 2017 કરતાં 2022માં 11 લાખ મત વધુ પડ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post