કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે.,હજી ઘણા ધારાસભ્યો છે જે ભાજપમાં જોડાવા ઇચ્છૂક છે : નીતિન પટેલ
Written By newsonline | Ahmedabad | Published: 2020-03-16 11:37:22
ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાતનું રાજકારણ
ગરમાયું છે. ભાજપ દ્વારા હોર્સ ટ્રેડિંગ થવાની શક્યતાઓને લઇને કોંગ્રેસ પોતાના
ધારાસભ્યો જયપુર લઇ ગઇ છે. જ્યારે 4 જેટલા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો
કર્યો છેકે આજે કદાચ બીજા રાજીનામા પડી શકે છે.
નીતિન પટેલે જણાવ્યું
હતું કે,
કોંગ્રેસના ચાર
ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. અધ્યક્ષે રાજીનામા અંગે સત્તાવાર જાહેરાત કરી છે.
કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે. હજી ઘણા ધારાસભ્યો છે જે ભાજપમાં જોડાવા ઇચ્છૂક
છે. નોંધનીય છેકે ભાજપે રાજ્યસભાની ચૂંટણીને લઇને કવાયત શરૂ કરી દીધી છે. ગૃહ
પહેલા ભાજપે એક બેઠક બોલાવી છે, જેમાં મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત તમામ
ધારાસભ્યો હાજર રહ્યાં છે.