ગુજરાત અને હિમાચલમાં પણ કોંગ્રેસને નવેસરથી ઝટકો આપવાની તૈયારીઓ ચાલી રહી છે
ભાજપ હવે વિપક્ષ મુક્ત
માર્ગ પર ચાલી રહ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ ભાજપ હવે કોંગ્રેસને
રાજકીય મેદાનમાં ધરાશાયી અને નષ્ટ વિપક્ષ તરીકે રાખવાની વ્યૂહરચના પર કામ કરી રહી
છે. પાર્ટીના ટોચના નેતૃત્વએ રાજ્યોના પ્રભારી મહાસચિવ અને રાજ્ય એકમને અલગ ટીમ
બનાવીને તેના પર કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ અભિયાનનું નામ ઓપરેશન
લોટસ પાર્ટ-2 રાખવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સહિત હિમાચલ, ઝારખંડ એવા રાજ્યો છે
જ્યાં ચૂંટણી થવાની છે.
આ રાજ્યોમાં પણ આ યોજના
પર કામ કરવામાં આવી રહ્યું છે જ્યાં તાજેતરમાં ચૂંટણી પૂરી થઈ છે. ભાજપ માને છે કે
કોઈપણ રાજ્યમાં કોંગ્રેસનાં ધારાસભ્યો તૂટશે તો દેશભરમાં તેનો સંદેશ જશે. ગોવા
તેનું તાજેતરનું ઉદાહરણ છે. 40 સભ્યોની વિધાનસભામાં ભાજપનાં 20 અને કોંગ્રેસનાં 11 ધારાસભ્યો છે.
ગોવામાં ભાજપે હોમવર્ક
કર્યું છે
ભાજપના ગોવાના પ્રભારી સીટી રવિએ રાજ્ય કારોબારીમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે
જે દિવસે પાર્ટી હાઈકમાન્ડ લીલી ઝંડી આપે તે દિવસે ભાજપના ધારાસભ્ય વધીને 30 થઈ જશે. એટલે કે
કોંગ્રેસના 10 ધારાસભ્યોને તોડવાની દિશામાં ભાજપે હોમવર્ક કર્યું છે.
ઝારખંડ-બિહાર આગળના પડાવ છે
સૂત્રોનું કહેવું છે કે પાર્લામેન્ટરી બોર્ડની
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં ચૂંટણી પૂર્વે એવું વાતાવરણ ઊભું કરવામાં આવે કે જેથી
હરીફાઈમાં વિપક્ષ દૂર દૂર સુધી જોવા ન મળે. તેથી જ ગોવા,
બિહાર, ઝારખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં પાર્ટીના નેતાઓ
સક્રિય થઈ ગયા છે.
ઓપરેશન કમલ પાર્ટ-2 પણ શરૂ થશે, ગુજરાત-હિમાચલમાં
કોંગ્રેસના ધારાસભ્યો પર નજર
·
આગામી દિવસોમાં ભાજપ અન્ય રાજ્યોમાં ઓપરેશન કમલ પાર્ટ-2 શરૂ કરશે. ગુજરાત અને
હિમાચલમાં પણ કોંગ્રેસને નવેસરથી ઝટકો આપવાની તૈયારીઓ ચાલી રહી છે.
·
ભાજપનું માનવું છે કે જે લોકો કોંગ્રેસમાં પાયાના રાજકારણની
ચતુરાઈ અને ચપળતા જાણતા હતા તેઓને સાઈડલાઈન કરવામાં આવ્યા છે. તેથી પાર્ટી પાસે
સારી તક છે.
·
ગોવા મામલો છેલ્લા મહિનાથી ચાલી રહ્યો છે, પરંતુ શરૂઆતમાં
કાર્યવાહી કરવાને બદલે પાર્ટી અંતમાં ડેમેજ કંટ્રોલ કરે છે.
·
સોનિયા અને રાહુલ કોર્ટ કેસમાં ફસાયેલા છે. તેઓ દરમિયાનગીરી
કરે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.
·
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસ વિપક્ષના ઉમેદવારને મત ન
મેળવી શકી તો ભાજપ આક્રમક રીતે કોંગ્રેસને ઘેરશે.
તમિલનાડુ: હકાલપટ્ટી
કરાયેલા પનીરસેલ્વમ ભાજપમાં જોડાઈ શકે છે
તમિલનાડુના મુખ્ય વિરોધ પક્ષ AIADMKએ સોમવારે ભૂતપૂર્વ
મુખ્યપ્રધાન ઓ પનીરસેલ્વમને પક્ષના પ્રાથમિક સભ્યપદ અને કોષાધ્યક્ષ પદ પરથી હાંકી
કાઢ્યા હતા. આ પછી ઈડાપ્પડીના પલાનીસ્વામીને વચગાળાના મહાસચિવ તરીકે પસંદ કરાયા
હતા. પનીરસેલ્વમ પર ડીએમકેને ટેકો આપવાનો અને AIADMKને નબળો પાડવા માટે
શાસક પક્ષના નેતાઓ સાથે કામ કરવાનો આરોપ છે.
હકાલપટ્ટી પર
પનીરસેલ્વમે કહ્યું કે તેમને 1.5 કરોડ કાર્યકરોએ પસંદ કર્યા છે. આથી પલાનીસ્વામીએ તેમને
હાંકી કાઢવાનો અધિકાર નથી. તેઓ આ નિર્ણયને કોર્ટમાં પડકારશે. પનીરસેલ્વમ પર કડક
કાર્યવાહી બાદ સમર્થકોએ પાર્ટી ઓફિસમાં તોડફોડ કરી હતી. આ પછી પાર્ટી
હેડક્વાર્ટરને સીલ કરી દેવામાં આવ્યું હતું.
આગળ શું: રાજકીય વિશ્લેષક એમ.
ભરત કુમારના જણાવ્યા અનુસાર, જયલલિતાના વફાદાર પનીરસેલ્વમ ભાજપમાં જોડાઈ શકે છે. જો
શશિકલા જુથ તૈયાર છે તો તેઓ તેની સાથે પણ હાથ મિલાવી શકે છે. તેઓ નવી પાર્ટી
બનાવવાનું પણ વિચારી શકે છે.