• Home
  • News
  • વડાપ્રધાન મોદી આજથી કર્ણાટકના બે દિવસના પ્રવાસે
post

વડાપ્રધાન મોદી આજે બે દિવસીય કર્ણાટકના પ્રવાસે છે. અહીંયા પીએમ ઘણા કાર્યક્રમોમાં સહભાગી થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-02 12:03:47

બેંગલુરુઃ વડાપ્રધાન મોદી આજે બે દિવસીય કર્ણાટકના પ્રવાસે છે. અહીંયા પીએમ ઘણા કાર્યક્રમોમાં સહભાગી થશે. પીએમ આજે તુમકુરમમાં શ્રી સિદ્ધગંગા મઠ પણ જશે, જ્યાં તેઓ જનસભાને સંબોધશે. આ ઉપરાંત વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાનો ત્રીજો હિસ્સો પણ જાહેર કરશે.ડિસેમ્બર 2019થી માર્ચ 2020 માટે આ યોજનાથી 6 કરોડ લાભાર્થીઓને ફાયદો મળશે. પહેલા બે હિસ્સામાં દેશભરના એક કરોડ કરતા વધારે ખેડૂતો માટે લગભગ 2 હજાર કરોડ રૂપિયા જાહેર કરાયા હતા. આ યોજના હેઠળ ચાર મહિનામાં પ્રત્યેક લાભાર્થીઓને 2000 રૂપિયા તેમના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. વડાપ્રધાન 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લાભાર્થીઓને તેનું પ્રમાણપત્ર સોંપશે.

પીએમના તુમકુરમાં પહોંચતા પહેલા જ ઘણા ખેડૂતોની અટકાયત કરાઈ છે. આ ખેડૂતો વડાપ્રધાન વિરુદ્ધ પ્રદર્શન કરવા અને કાળા ઝંડા બતાવવાની તૈયારીમાં હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post