વડાપ્રધાન મોદી આજે બે દિવસીય કર્ણાટકના પ્રવાસે છે. અહીંયા પીએમ ઘણા કાર્યક્રમોમાં સહભાગી થશે
બેંગલુરુઃ વડાપ્રધાન મોદી આજે બે દિવસીય
કર્ણાટકના પ્રવાસે છે. અહીંયા પીએમ ઘણા કાર્યક્રમોમાં સહભાગી થશે. પીએમ આજે
તુમકુરમમાં શ્રી સિદ્ધગંગા મઠ પણ જશે, જ્યાં તેઓ જનસભાને સંબોધશે. આ
ઉપરાંત વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાનો ત્રીજો હિસ્સો પણ જાહેર કરશે.ડિસેમ્બર
2019થી માર્ચ 2020 માટે આ યોજનાથી 6 કરોડ
લાભાર્થીઓને ફાયદો મળશે. પહેલા બે હિસ્સામાં દેશભરના એક કરોડ કરતા વધારે ખેડૂતો
માટે લગભગ 2 હજાર કરોડ રૂપિયા જાહેર કરાયા હતા. આ યોજના હેઠળ ચાર
મહિનામાં પ્રત્યેક લાભાર્થીઓને 2000 રૂપિયા તેમના બેન્ક એકાઉન્ટમાં
ટ્રાન્સફર કરવામાં આવશે. વડાપ્રધાન 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના
લાભાર્થીઓને તેનું પ્રમાણપત્ર સોંપશે.
પીએમના તુમકુરમાં પહોંચતા પહેલા જ ઘણા ખેડૂતોની
અટકાયત કરાઈ છે. આ ખેડૂતો વડાપ્રધાન વિરુદ્ધ પ્રદર્શન કરવા અને કાળા ઝંડા બતાવવાની
તૈયારીમાં હતા.