• Home
  • News
  • PMનો ગુજરાત પ્રવાસ:કૉંગ્રેસને સરદાર વલ્લભભાઈ પટેલ સામે વાંધો શું છે? ગુજરાત સરદાર સાહેબના અપમાનને ક્યારેય સહન નહીં કરે
post

ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-31 19:05:04

પાલનપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના થરાદથી રૂપિયા 8034 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરી હતી. ગઈકાલે મોરબીમાં બનેલી ઘટના અંગે વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે, આ મામલે સરકાર તરફથી કોઈ કસર છોડવામાં આવશે નહીં.

આજે ગુજરાત શોકમાં ડૂબેલું છે- PM મોદી
આજે ગુજરાત શોકમાં ડૂબેલું છે, દેશવાસીઓ પણ ખૂબ દુઃખી થયા છે, મોરબીમાં ગઈકાલે સાંજે જે ભયંકર દુર્ઘટના ઘટી અનેક આપણાં સ્વજનો, નાનાં ભૂલકાઓએ પોતાના જીવ ગુમાવ્યા, દુઃખની આ ઘડીમાં આપણા સૌની સંવેદનાઓ પીડિત પરિવારોની સાથે છે. ભૂપેન્દ્રભાઈ અને તેમની સરકારના સૌ સાથીઓ પૂરી શક્તિથી શક્ય એટલા બધાં રાહતનાં કામો કરી રહ્યાં છે. કાલે રાત્રે કેવડિયાથી સીધા ભૂપેન્દ્રભાઈ મોરબી પહોંચ્યા અને રાહતકામોની કમાન સંભાળી લીધી. હું પણ રાતભર અને આજે સવાર સુધી સંપર્કમાં રહ્યો.

કૉંગ્રેસને સરદાર સાહેબ સાથે વાંધો શું છે?- PM મોદી
વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે છાપામાં કૉંગ્રેસની જાહેરાત જોઈ. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી હોવા છતાં જાહેરાતમાં ક્યાંય સરદાર સાહેબનો સ જોવા ન મળ્યો. કૉંગ્રેસને સરદાર વલ્લભભાઈ પટેલ સામે વાંધો શું છે? ગુજરાત સરદાર સાહેબના અપમાનને ક્યારેય સહન નહીં કરે.

પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય અંશો

·         આ પરિયોજનાથી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સહિત 6 જિલ્લાનાં 1000 ગામોને સિંચાઈ સુવિધાનો લાભ મળશે

·         અમારી સરકાર પશુપાલનને મજબૂત કરવા માટે અનેક યોજના પર કામ કરી રહી છે

·         'મારા ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી કરવા તરફ વળ્યા છે'

·         'મારો ખેડૂત પણ ધરતીમાતાની ચિંતા કરવા લાગ્યો છે'

·         'ભારતને વિકસિત બનાવવા માટે આપણે ગુજરાતને પણ વિકસિત બનાવવું પડે'

આ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

·         કસરા-દાંતીવાડા પાઇપલાઈન

·         નર્મદા મુખ્ય નહેરમાંથી કસરા તા. હારીજ, જિ. પાટણથી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન

·         બનાસકાંઠાનાં 74 અને પાટણનાં 32 ગામોના કુલ 7500 હેક્ટર વિસ્તારને લાભ મળશે અંદાજિત લાભાર્થી 4200 ખેડૂત

·         અંદાજિત ખર્ચ 1566 કરોડ

ડીંડરોલ મુક્તેશ્વર પાઇપલાઈન

·         ડીંડરોલ તા. સિદ્ધપુર, જિ. પાટણથી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન

·         બનાસકાંઠાનાં 25 અને પાટણનાં 5 ગામોના કુલ 3000 હેક્ટર વિસ્તારમાં લાભ કુલ અંદાજિત લાભાર્થી 1700 ખેડૂત

·         અંદાજિત ખર્ચ રૂ. 191 કરોડ

સુઈગામ ડાયરેક્ટ ડિસ્ટ્રિબ્યુટરી

·         બનાસકાંઠામાં 22 ગામોના પિયત વિસ્તારને સિંચાઇ સુવિધા પૂરી પાડવા માટે નવી ડિસ્ટ્રિબ્યુટરી બનાવવાની યોજના

·         ડિસ્ટ્રિબ્યુટરીની લંબાઈ 34 કિમી

·         14700 હેક્ટર વિસ્તારમાં ફાયદો

·         અંદાજિત લાભાર્થી 7500 ખેડૂત.

·         અંદાજિત ખર્ચ 88 કરોડ

કાંકરેજ દિયોદર અને પાટણ માટે પાણી પુરવઠાની યોજના

·         અહીં સંગ્રહ ક્ષમતા વધારવાનાં કાર્યો કરવામાં આવશે

·         100 ગામડાઓને ફાયદો મળશે - અંદાજિત લાભાર્થી 3.02 લાખ

·         અંદાજિત ખર્ચ 13 કરોડ

6000 કરોડથી વધુનાં વિકાસ કામોની જાહેરાત કરવામાં આવી

સુજલામ સુફલામ નહેર સુધારણાનાં કામો

·         કડાણા બંધથી બનાસકાંઠા જિલ્લાના રાહ ગામ સુધી 332 કિમી લાંબી નહેરનું નિર્માણ કરવામાં આવશે

·         2000 ક્યુસેક સુધીની વહનક્ષમતાના લીધે પાણીને સરળતાથી દૂર સુધી પહોંચાડી શકાશે

·         નહેર તેમજ સ્ટ્રક્ચર્સ સુધારણાનો અંદાજિત ખર્ચ 1500 કરોડ

·         લાભ 1111 તળાવો અને 3.7 લાખ એકર વિસ્તાર, 661 ગામો અંદાજિત લાભાર્થી 1.25 લાખ ખેડૂત

અટલ ભૂજલ યોજના તથા ભૂગર્ભ રિચાર્જ અને વેસ્ટ વોટર રીયુઝની કામગીરી

·         6 જિલ્લાનાં 2000 ગામડાઓમાં વેસ્ટ વોટર રિયુઝ, ચેકડેમ ઊંડા તેમજ રિપેર કરવાની કામગીરી, તળાવો, ટ્યૂબવેલ વગેરેનાં કામો

·         6 જિલ્લાનાં 2000 ગામડાઓમાં શરૂ કરવામાં આવશે, તેનાથી 50,000 હેક્ટર વિસ્તારોને પરોક્ષ લાભ મળશે

·         કુલ 1100 કરોડનાં કામો, ફાયદો પ્રાપ્ત કરનાર વિસ્તાર 1,10,000 હેક્ટર

·         અંદાજિત લાભાર્થી -65,000 ખેડૂત

સાબરમતી નદી પર 4 નવા બેરેજનું બાંધકામ

·         14000 હેક્ટર વિસ્તારને ફાયદો

·         અંદાજિત લાભાર્થી 10,000 ખેડૂત

·         મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના 5 તાલુકાનાં 39 ગામોને લાભ

·         અંદાજિત ખર્ચ 1૦૦૦ કરોડ

ધરોઇ, વાત્રક, મેશ્વો અને હાથમતી જળાશય આધારિત ઉદ્વવહન સિંચાઈ યોજનાઓ
વાત્રક જળાશયમાંથી ઉદ્વહન દ્વારા માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાનાં તળાવો ભરવાની કામગીરી.
7
તાલુકાનાં 182 તળાવોમાં કામગીરી થશે, અંદાજિત કિંમત 700 કરોડ.
6150
હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે, કુલ લાભાર્થી 11,000 ખેડૂત.

હયાત અને નવીન પાઈપ લાઈન દ્વારા તળાવ જોડાણનાં કામો

·         અંદાજિત કિંમત 625 કરોડ.

·         ધાનેરા, દિયોદર અને ચાણસ્મા તાલુકાનાં 99 તળાવોને ફાયદો થશે

·         10,000 હેક્ટર વિસ્તારને લાભ

·         અંદાજિત લાભાર્થી 5000 ખેડૂત

મોઢેરા મોટીદાઉ પાઈપલાઈનને મુક્તેશ્વર કર્માવત તળાવ સુધી લંબાવવાની કામગીરી

·         મહેસાણાનાં 33 અને બનાસકાંઠા જિલ્લાનાં 64 ગામોના કુલ 6000 હેક્ટર વિસ્તારને ફાયદો થશે

·         અંદાજિત લાભાર્થી 4૦૦૦ ખેડૂત

·         મુખ્ય પાઈપલાઈનની લંબાઈ 65 કિલોમીટર,વહન ક્ષમતા 200 ક્યુસેક

·         અંદાજિત ખર્ચ 550 કરોડ.

ખારી રૂપેણ પુષ્પાવતી અને અન્ય નદી પરના મોટા ચેકડેમની કામગીરી

·         ખારી નદી પર કુલ 3, પુષ્પાવતી નદી પર કુલ 13, રૂપેણ નદી પર કુલ 18, મેશ્વો નદી પર 12 અને દાતા અને અમીરગઢ તાલુકામાં 10 મોટા ચેકડેમની કામગીરીકુલ 56 ચેકડેમ

·         કુલ કિંમત 430 કરોડ

·         5૦૦૦ હેક્ટર વિસ્તારને ફાયદો થશે, કુલ અંદાજિત લાભાર્થી 9૦૦૦ ખેડૂત

બાલારામ નાની સિંચાઈ યોજનાથી મલાણા અને અન્ય 31 ગામનાં તળાવો ભરવાની યોજના

·         કુલ કિંમત 145 કરોડ

·         3400 હેક્ટર વિસ્તારને ફાયદો, અંદાજિત લાભાર્થી 4500 ખેડૂત

·         સાંતલપુર તાલુકાનાં 11 ગામો માટેની પાઈપલાઈન યોજના

·         અંદાજિત રકમ 126 કરોડ

·         83૦૦ હેક્ટર વિસ્તારને ફાયદો

·         11 ગામના અંદાજિત 45૦૦ ખેડૂતોને લાભ મળશે

 

adv

Related News

post
post
post
post
post
post
post