• Home
  • News
  • નવી સંસદનો શિલાન્યાસ:વડાપ્રધાન મોદી આજે નવા સંસદ ભવનનું ભૂમિપૂજન કરશે, બે વર્ષમાં તૈયાર થવાની શક્યતા
post

ટાટા કંપનીને નવા સંસદભવન બનાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-10 10:29:14

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં સંસદ ભવનની નવી બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવાના છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ કાર્યક્રમ માટે વડાપ્રધાન મોદીને રૂબરુ જઈને આમંત્રણ આપ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે, 2022માં દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થતાં આપણે સંસદ ભવનમાં બંને ગૃહોના સેશનની શરૂઆત કરીશું.

નવા ભવનમાં લોકસભા સાંસદો માટે અંદાજે 888 અને રાજ્યસભા સાંસદો માટે 326થી વધારે સીટ રાખવામાં આવશે. પાર્લામેન્ટ્રી હોલમાં કુલ 1224 સભ્યો એક સાથે બેસી શકશે.

સુપ્રીમ કોર્ટે દર્શાવી હતી નારાજગી
નવા સંસદ ભવનને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ વિશે સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે દાખલ કરવામાં આવેલી અરજીઓ વિશે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત કોઈ કન્સ્ટ્રક્શન, તોડફોડ અથવા ઝાડ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ જ્યાં સુધી પેન્ડિંગ અરજીઓ પર છેલ્લો નિર્ણય ન સંભળાવવામાં આવે.

આ પણ વાંચોવિગતે: સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર સુનાવણી:કેન્દ્રએ નિર્માણ અને તોડફોડ શરૂ ન કરવાનો ભરોસો આપ્યા પછી સુપ્રીમ કોર્ટેે ભૂમિ પૂજનની પરવાનગી આપી

નવા ભવનને પેપરલેસ બનાવાશે
લોકસભા સ્પીકર ઓમ બિરલાના જણાવ્યા મુજબ નવા ભવનમાં સંસદ સભ્યો માટે લોન્જ, લાઈબ્રેરી, સમિતિ રૂમ અને ભોજન રૂમ પણ હશે. ડિજિટલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે જેથી સંસદને પેપર લેસ બનાવવામાં મદદ મળશે. નવી ઇમારતમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 384 સભ્ય બેસી શકશે. હાલના ભવનમાં લોકસભાના 543 અને રાજ્યસભાના 245 સભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા છે. નવું ભવન આત્મનિર્ભર ભારતની મિશાલ બનશે. તેને સંપૂર્ણ રીતે ભારતીય લોકો તૈયાર કરશે. તેના નિર્માણમાં 2000 લોકો પ્રત્યક્ષ રીતે અને 9000 લોકો પરોક્ષ રીતે સામેલ થશે.

વિશેષતાઃ આઝાદીની 75મી વર્ષગાંઠનું સત્ર નવા ભવનમાં યોજાશે

·         નવી ઇમારતની ઊંચાઈ હાલના ભવન જેટલી જ હશે

·         ભૂકંપ પ્રતિરોધક ઇમારત ત્રિકોણીય હશે. અવકાશમાંથી 3 રંગના કિરણ જેવી દેખાશે

·         નવું ભવન 65 હજાર ચો.મી.માં હશે, 16,921 ચો.મી. અંડર ગ્રાઉન્ડ હશે.

·         નવા ભવનનું નિર્માણ ટાટા જૂથ કરશે.

·         નવું ભવન 65 હજાર ચો.મી.માં હશે, 16,921 ચો.મી. અંડર ગ્રાઉન્ડ હશે.

·         નવા ભવનનું નિર્માણ ટાટા જૂથ કરશે.

શા માટે નવું સંસદભવન?
હાલનું સંસદભવન સૈકા જૂનું હોવાથી એેમાં મરામતની તીવ્ર આવશ્યકતા છે. વળી, સંસદ એની મહત્તમ બેઠક વ્યવસ્થા સુધી પહોંચી ચૂક્યું છે. વધતી વસતિને ધ્યાનમાં રાખીને બેઠક-સંખ્યા વધારવી હોય તો નવું સંસદભવન બનાવવું અનિવાર્ય છે. જૂની વ્યવસ્થા હોવાથી ઓફિસ સ્પેસ અહીં મર્યાદિત છે. સંસદ અને વિવિધ મંત્રાલય સંબંધિત કેટલીય સરકારી કચેરીઓ દિલ્હીમાં અલગ વિસ્તારોમાં આવેલી છે, આથી દરેક મંત્રાલયની દરેક કચેરી અહીં જ હોય તેવી પ્રાથમિકતા આપવામાં આવી છે.

સેન્ટ્રલ વિસ્ટા શું છે? 1911માં બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સે ડિઝાઇન કરેલું નવી દિલ્હી અસ્તિત્વમાં આવ્યું એ પછી 1921-27 દરમિયાન હાલના સંસદભવનની ઈમારતનું નિર્માણકાર્ય થયું હતું. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના વિસ્તારને નવનિર્માણ માટે પસંદ કરાયો હતો અને એેને સેન્ટ્રલ વિસ્ટા નામ અપાયું હતું. ત્યારથી નવી દિલ્હીનો આ વિસ્તાર આ નામે જ ઓળખાય છે. હાલમાં જૂના સંસદભવનના રિનોવેશન, નવા ભવનના નિર્માણ સહિત જે કંઈ ફેરફાર થઈ રહ્યા છે એે આ વિસ્તારના નામે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તરીકે જ કેન્દ્ર સરકારે ઓળખાવ્યા છે.

ટાટાને કોન્ટ્રેક્ટ મળ્યો
ટાટા કંપનીને નવા સંસદભવન બનાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ પર રૂ. 865 કરોડ ખર્ચ કરવામાં આવશે. નવી સંસદ રાજ્યના પ્લોટ નંબર 118 પર બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન આર્કિટેક્ટ બિમલ પટેલે કરી છે. પ્રોજેક્ટ અંતર્ગત નવી સંસદ ઉપરાંત, ઈન્ડિયા ગેટની આસપાસ 10 ઇમારત બનાવવામાં આવશે, જેમાં 51 મંત્રાલયોની કચેરીઓ હશે.

કોણ છે બિમલ પટેલ?
આર્કિટેક્ચરિંગની દુનિયામાં બિમલ પટેલ ઘણું જ જાણીતું નામ છે. તેમની કંપની HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાત સરકાર અને ભારત સરકાર માટે ઘણા મહત્ત્વના પ્રોજેક્ટ્સ કર્યા છે. અમદાવાદનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, કાંકરિયા રી-ડેવલપમેન્ટ, રાજકોટ રેસકોર્સ રી-ડેવલપમેન્ટ, RBI અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ, IIM અમદાવાદ, IIT જોધપુર સહિતનાં બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે. તેમની પાસે 35થી વધુ વર્ષનો અનુભવ છે અને ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post