અત્યારે માત્ર શાળાઓ જ પરિણામ જોઈ શકશે, તે જ વિદ્યાર્થીઓને પરિણામ જણાવશે
આજે ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ
જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું
છે, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક
મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી
વધુ 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો છે.
માર્કશીટમાં માસ
પ્રમોશનનો ઉલ્લેખ નહીં
ધોરણ 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, પરંતુ રિઝલ્ટ જાહેર
થતાં તેમની માર્કશીટમાં ક્યાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
વિદ્યાર્થીઓને પરંપરાગત માર્કશીટ જ પ્રાપ્ત થશે. અત્યારે માત્ર શાળાઓ જ પરિણામ જોઈ
શકશે. શાળાઓ જ વિદ્યાર્થીઓને પરિણામ જણાવશે.
ગ્રેડ પ્રમાણે
વિદ્યાર્થીઓની સંખ્યા
ગ્રેડ |
વિદ્યાર્થીઓની
સંખ્યા |
A1 |
3,245 |
A2 |
15,284 |
B1 |
24,757 |
B2 |
26,831 |
C1 |
22,174 |
C2 |
12,071 |
D |
2,609 |
E1 |
289 |
E2 |
4 |
કુલ |
1,07,264 |
વિદ્યાર્થીઓએ કઈ
સ્ટ્રીમમાં આગળ વધવું એની ચર્ચાઓ કરી
વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે પરિણામ અંગે સરકારે જે ફોર્મેટ જાહેર કર્યું
એનાથી પરિણામ માટે અંદાજ હતો. આજે પરિણામ જાહેર થયું, તેથી એની કોપી લેવા
આવ્યા છીએ. પરિણામને લઇને વિદ્યાથીઓમાં ખુશીનો માહોલ છે. પરિણામ અંગે વિદ્યાર્થીઓએ
ચર્ચા પણ કરી, જેમાં કોલેજમાં કઈ રીતે પ્રવેશ મેળવવો, કઈ સ્ટ્રીમમાં આગળ
વધવું એ તમામ બાબતે ચર્ચા કરી અને સ્કૂલના આચાર્યએ પણ વિદ્યાર્થીઓને સલાહ-સૂચન
આપ્યાં હતાં.
પરિણામથી
અસંતોષ હોય તો 15 દિવસમાં
માર્કશીટ જમા કરાવવી
ધોરણ 12ના તમામ
પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર, પરિણામ તૈયાર
કરવામાં આવશે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો
તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં
પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની
કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી
પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.
કેમિસ્ટ્રી-ફિઝિક્સ
માટે ધો.10ના ગણિત અને વિજ્ઞાનના માર્ક ગણતરીમાં લેવાશે
·
ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ -એ ના વિદ્યાર્થીઓને ગણિત વિષય સામે ધો.10માં ગણિતના વિષયમાં
મેળવેલા ગુણને ધ્યાનમાં લેવાશે
·
ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-બીના વિદ્યાર્થીઓને જીવ વિજ્ઞાનના ગુણ ધો.10ના વિજ્ઞાન વિષયમાં
મેળવેલા ગુણને ધ્યાનમાં લેવાશે.
·
ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ - એબીના વિદ્યાર્થીઓને ગણિતના ગુણ માટે ધો.10ના ગણિતના ગુણને
ધ્યાનમાં લેવાશે, જ્યારે જીવ વિજ્ઞાનના ગુણ ધો.10ના વિજ્ઞાનના ગુણને
ધ્યાનમાં લેવાશે.
·
ધો.12 રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન માટેના ગુણ માટે ધો.10ના ગણિત અને વિજ્ઞાનના
સરેરાશ ગુણને ધ્યાનમાં લેવાશે.
·
ધો.12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના ગુણને ધો.10ની પ્રથમ ભાષા અને
દ્વિતીય ભાષાના ગુણને ધ્યાનમાં લેવાશે.
પ્રેક્ટિકલના માર્ક
માટે આ ફોર્મ્યુલા
ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાના ગુણમાં વિદ્યાર્થીએ ધો.11 અને 12ના વર્ષ દરમિયાન કરેલી
પ્રવૃત્તિ ધ્યાનમાં લેવાશે. બોર્ડના પરિપત્ર પ્રમાણે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ
વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષાના ગુણ માટે વિદ્યાર્થીએ ધો.11 અને 12માં વર્ષ દરમિયાન કરેલી
પ્રાયોગિક પ્રવૃત્તિને આધારે ગુણ આપવાના રહેશે.
અંગ્રેજીના માર્ક
વિદ્યાર્થીએ ધો.10માં મેળવેલા ઈંગ્લિશના માર્ક મુજબ મુકાશે
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી (પ્રથમ ભાષા) અને અંગ્રેજી દ્વિતીય ભાષાના ગુણ
માટે ધો.10માં વિદ્યાર્થીએ અંગ્રેજી (પ્રથમ ભાષા) અને અંગ્રેજી (દ્વિતીય ભાષા)ના ગુણને
ગણતરીમાં લેવાશે. ઉપરાંત કોઈ એક દ્વિતીય ભાષા અથવા કમ્પ્યુટર વિષયના ગુણ માટે ધો.10મા વિદ્યાર્થીએ પસંદ
કરેલી દ્વિતીય ભાષા અથવા તૃતીય ભાષામાં મેળવેલા ગુણને ગણતરીમાં લેવાશે.