• Home
  • News
  • રોહિત શર્મા ઇજાના લીધે ન્યૂઝીલેન્ડ સામેની વનડે અને ટેસ્ટ સીરિઝમાંથી બહાર
post

ભારત ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચ બુધવારે હેમિલ્ટન ખાતે રમશે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-04 11:46:50

ભારતીય ઓપનર રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની વનડે અને ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. રોહિતને કિવિઝ સામેની અંતિમ T-20માં રવિવારે માઉન્ટ મોનગાનુઈ ખાતે કાફ (પગના સ્નાયુ) ઇન્જરી થઇ હતી. તેણે કરિયરની 21મી ફિફટી મારી હતી, પરંતુ ઇજાના લીધે દોડવામાં તકલીફ પડતી હોવાથી 60 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. BCCIના એક અધિકારીએ ન્યુઝ એજન્સીને કહ્યું કે, "રોહિત ઇજાના લીધે કિવિઝ સામે વનડે અને ટેસ્ટ સીરિઝમાં રમી શકશે નહીં."

adv

Related News

post
post
post
post
post
post
post