ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યમાં કોરોનાની બીજી લહેર પીક પર પહોંચી
ભારત દેશમાં કોરોના મહામારી અંગે મહિનાઓ બાદ સારા સમાચાર
સામે આવી રહ્યા છે. ભારત સરકારનાં વિજ્ઞાન મંત્રાલય હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી
વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી 3 સદસ્યોની પેનલે અનુમાન લગાવ્યું
હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર જુલાઈ સુધીમાં કહેર વરસાવવાનું બંધ કરી શકે છે.
તેવામાં 6 થી 8 મહિના પછી ભારતમાં ત્રીજી લહેર
પ્રવેશવાનાં એંધાણ પણ જણાયા હતા. આ પ્રાથમિક અનુમાનની સાથે તેઓએ સરકારને એલર્ટ પણ
કરી દીધી છે.
SUTRA (સંવેદનશીલ, અનિર્ધારિત, પરિક્ષણ અને વિવિધ દૃષ્ટિકોણ)
મોડલનો ઉપયોગ કરતા વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે મે મહિનાનાં અંતસુધીમાં
પ્રતિદિવસ 1.5 લાખ
કેસ સામે આવી શકે છે અને જૂનનાં અંતમાં દરરોજ 20 હજાર કેસ સામે આવી શકે છે. જુલાઈ
મહિના સુધીમાં કોરોનાની બીજી લહેર વિરામ લઈ શકે છે.
ગુજરાત સહિત અન્ય રાજ્યમાં બીજી
લહેર પીક પર પહોંચી
પેનલનાં
સભ્ય અને IIT કાનપુરનાં
અધ્યાપક મનિંદ્ર અગ્રવાલે કહ્યું હતું કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્નાટક, મધ્ય પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, કેરળ, સિક્કિમ, ઉત્તરાખંડ, ગુજરાત, હરિયાણા સિવાય દિલ્હી અને ગોવા
જેવા રાજ્યમાં બીજી લહેરનો પીક ટાઈમ આવી ગયો છે. તમિલનાડુમાં 29 થી 31 મે અને પુડુચેરીમાં 10-20 મેમાં પીક આવી શકે છે.
પૂર્વ અને પૂર્વોત્તરનાં રાજ્યોમાં હજુ પીક સમય આવવાનો બાકી
છે. આસામ 20-21 મે, મોઘાલય 30 મે, ત્રિપુરામાં 26-27 મે સુધીમાં પીક આવી જશે. હિમાચલ
પ્રદેશ અને પંજાબમાં અત્યારે કોરોનાનાં કેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. હિમાચાલમાં
24 મે
અને પંજાબમાં 22 મે
સુધીમાં કોરોનાની બીજી લહેરનો પીક સમય આવી શકે છે.
6-8 મહિનામાં ત્રીજી લહેર આવવાની
શક્યતા
વૈજ્ઞાનિકોએ
કહ્યું હતું કે 6 કે 8 મહિનાની અંદર દેશમાં કોરોનાની
ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ રહેલી છે. IIT કાનપુરનાં અધ્યાપક મનિંદ્ર
અગ્રવાલે જણાવ્યું હતું કે આમાં મોટાભાગનાં લોકો ઓછા પ્રભાવિત થશે, કારણકે તેઓએ વેક્સિનેશનમાં ભાગ
લીધો છે. તેઓએ જણાવ્યું હતું કે ઓક્ટોબર સુધી ત્રીજી લહેર નહીં આવે.
SUTRA મોડલ દ્વારા અનુમાન લગાવ્યું
SUTRA મોડલ
જેવા ગાણિતને લગતા મોડલ મહામારીની તીવ્રતાનું અનુમાન લગાવવામાં મદદ કરી શકે છે. SUTRA મોડલ ગત વર્ષે કોરોનાની
પરિસ્થિતિનું અવલોકન કરવા માટે અસ્થિત્વમાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કોવિડ-19 કમિટિને પણ સરકાર દ્વારા કોરોનાની
પરિસ્થિતિનું આંકલન કરવા માટે બનાવવામાં આવી છે.
જોકે, કમિટિએ સ્વીકાર કર્યું હતું કે તેઓ બીજી લહેરની પ્રકૃતિ અને
સંક્રમણ અંગેની વિગતવાર માહિતી આપવા માટે અસમર્થ છે. IIT હૈદરાબાદનાં અધ્યાપકે મીડિયાને
જણાવ્યું હતું કે અમે જ્યારે જાહેર કર્યું હતું કે બીજી લહેરમાં રોજ 1.5 લાખ કેસ સામે આવશે, તે વાત તદ્દન ખોટી સાબિત થઈ હતી.