આ બંને પ્રાચીન વૃક્ષોની ડાળીઓ આશ્ચર્યજનક રીતે શિવના ધનુષ, ત્રિશુળ, ડમરુ અને ગળાના હાર એટલે કે સર્પનો આભાસ કરાવે છે
બિહારના બગહામાં એક રહસ્યમય પ્રાકૃતિક મંદિર છે. આ મંદિર એક વડ અને પીપળાના ઝાડ વચ્ચે સ્થિત છે. પશ્ચિમી ચંપારણના ટડવલિયા ગામ સ્થિત આ મંદિરને જોઈ સૌ કોઈ આશ્ચર્ય પામે છે. સદીઓ જૂના આ મંદિરમાં ભગવાન શિવની પૂજા થાય છે. માત્ર આટલું જ નહીં આ બંને પ્રાચીન વૃક્ષોની ડાળીઓ આશ્ચર્યજનક રીતે શિવના ધનુષ, ત્રિશુળ, ડમરુ અને ગળાના હાર એટલે કે સર્પનો આભાસ કરાવે છે.
આ ગામના રહેવાસી રઘુનાથ દ્વિવેદી, ગૌરી શંકર જયસ્વાલ, વિનોદ દ્રિવેદી અનુસાર તેમના પૂર્વજ કહેતા હતા કે આ મંદિર સેંકડો વર્ષ જૂનું
છે. પૂર્વજોએ જણાવ્યું હતું કે અહીં પહેલા જંગલ હતું. અહીં શ્રીયોગી હરિનાથ બાબા તપ
કરતા હતા અને અહીં જ તેમણે જીવીત સમાધી લીધી હતી. સમાધી બાદ જ્યારે શ્રીયોગીના
ઉત્તરાધિકારી ઉમાગિરી નાથ આ સ્થાન પર મંદિરનું નિર્માણ કરાવવા ગયા તો એક
આશ્ચર્યજનક ઘટના બની. દિવસે મંદિર બનતુ અને રાતે જાતે જ ધ્વસ્ત થઈ જતું. ત્યાર બાદ
મંદિર બનાવવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું.
જોકે સમાધી સ્થળ પર પહેલેથી જ એક શિવલિંગ હતું. ત્યાર બાદ તે શિવલિંગ પાસે વડ
અને પીપળાનું ઝાડ લપેટાઈ ગયા અને તેની શાખાઓએ મંદિરનું સ્વરુપ ધારણ કરી લીધું. આજે
આ મંદિરમાં જવા-આવવા માટે એક નાનકડો રસ્તો છે,
જેમાં સહેજ ઝૂકીને અંદર જવુ પડે છે અને અંદર ત્રણ-ચાર
લોકો બેસીને આરામથી પૂજા પણ કરી શકે છે.