કર્ણાટક બીજેપીનો દાવો છે કે હવે બંને નેતાઓ સાથે કામ કરવાનો ડોળ કરે છે, પરંતુ ટૂંક સમયમાં જ બધાને સરકારમાં ભાગલા જોવા મળશે. આ સરકાર લાંબો સમય નહીં ચાલે.
કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે
શિવકુમારે કહ્યું છે કે, 'જ્યારે છેલ્લી વખત સિદ્ધારમૈયા કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારે તેમણે
ડરના કારણે એક પ્રોજેક્ટ બંધ કરી દીધો હતો, હું હોત તો તેને
પૂર્ણ કરી લેત.' શિવકુમારે બેંગલુરુના સંસ્થાપક કેમ્પેગૌડાની જન્મજયંતિના અવસર પર વિધાનસભામાં
આ નિવેદન આપ્યું હતું.
શિવકુમારે કહ્યું, 'મને ટનલ અને
ફ્લાય ઓવર બનાવવા માટે ઘણી રિક્વેસ્ટ મળે છે. ઘણા પ્રોજેક્ટ્સમાં પડકારોનો પણ
સામનો કરવો પડે છે. 2017માં, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તત્કાલીન બેંગલુરુ વિકાસ પ્રધાન કેજે જ્યોર્જ
શહેરમાં સ્ટીલ ફ્લાયઓવર સામેના વિરોધથી ડરી ગયા હતા. જો હું તેમની જગ્યાએ હોત તો
મારો વિરોધ કરનારાઓ સામે ઝૂક્યો ન હોત. હું આ પ્રોજેક્ટને આગળ વધાર્યો હોત.
પ્રિયાંક ખડગેએ
કહ્યું- સીએમ લોકોના વિચારોનું સન્માન કરે છે
શિવકુમારના આ નિવેદન અંગે કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેએ કહ્યું કે, 'હું એમ નહીં
કહું કે સિદ્ધારમૈયા ડરી ગયા હતા. મુખ્યમંત્રી લોકોનું ધ્યાન રાખે છે, તેમના વિચારોનું
સન્માન કરે છે. કેટલીકવાર ખોટી વાતો ફેલાઈ જાય છે અને તેના કારણે સારા નિર્ણયો
રોકવા પડે છે. મને લાગે છે કે ડેપ્યુટી સીએમ પણ એવું જ કહેવા માંગતા હતા.
ભાજપનો દાવો- ટૂંક
સમયમાં સરકારમાં વિભાજન થશે
શિવકુમારના આ નિવેદનને કર્ણાટક કોંગ્રેસના બે ટોચના નેતાઓ વચ્ચેના ભેદભાવ
તરીકે જોવામાં આવી રહ્યું છે. 13 મેના રોજ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ
કોંગ્રેસને મુખ્યમંત્રીનો નિર્ણય લેવામાં પાંચ દિવસનો સમય લાગ્યો હતો. ડીકે
શિવકુમાર અને સિદ્ધારમૈયા બંનેએ મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો હતો. ત્યારબાદ
હાઈકમાન્ડના કહેવા પર શિવકુમાર ડેપ્યુટી સીએમ પદ માટે માની ગયા હતા.
કર્ણાટક બીજેપીનો દાવો
છે કે હવે બંને નેતાઓ સાથે કામ કરવાનો ડોળ કરે છે, પરંતુ ટૂંક સમયમાં જ
બધાને સરકારમાં ભાગલા જોવા મળશે. આ સરકાર લાંબો સમય નહીં ચાલે.