ફાયરબ્રિગેડના કાફલાએ ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો
ભરૂચ: ગઈકાલે રવિવારે
મોડી રાત્રે ભરૂચના દહેજમાં આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ
આગ ફાટી નીકળી હતી, જેમાં 6 કામદાર બળીને ભડથું થયા હતા. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી એ
દરમિયાન જ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના
ગોટેગોટા જોવા મળ્યા હતા.
બનાવને પગલે ફાયરબ્રિગેડના કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી
આવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે આગ એટલી વિકરાળ હતી કે એમાં 6 કામદારનાં દાઝી
જવાથી મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે મૃતકોનાં પરિવારજનોમાં
ભારે દુઃખની લાગણી જોવા મળી હતી.
આગ એટલી વિકરાળ હતી કે કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ
થઇ ગયો છે. ઘટનાને પગલે હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, સાથે જ કંપનીમાં
ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.