ગિન્નીએ 2019માં દીકરી અનાયરાને જન્મ આપ્યો
કોમેડિયન કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર કન્ફર્મ કર્યું કે
તેની પત્ની ગિન્ની ચતરથ તેના બીજા બાળકને જન્મ આપવાની છે. ઘણા અઠવાડિયાથી અટકળો
ચાલતી હતી પણ હવે આવું સ્ટેટમેન્ટ ત્યારે સામે આવ્યું છે, જ્યારે એક સોશિયલ મીડિયા યુઝરે
પૂછ્યું કે 'ધ
કપિલ શર્મા શો' ઓફ એર
કેમ થઇ રહ્યો છે.
કપિલનો શો ઓફ એર થઇ રહ્યો છે?
થોડા
દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે કપિલ શર્માનો કોમેડી શો બંધ થઇ રહ્યો છે. જોકે
ચેનલ તરફથી આ વાતની કોઈ પુષ્ટિ થઇ ન હતી. એવું જણાવાઈ રહ્યું છે કે કપિલ શર્માનો
શો ટૂંક સમયમાં ઓફ એર થઇ રહ્યો છે અને નવા સીઝન સાથે કમબેક કરશે. કપિલે સોશિયલ
મીડિયા પર એક ફેનના સવાલનો જવાબ આપતા કહ્યું કે શો ઓફ એર એટલા માટે થઇ રહ્યો છે
કારણકે તેને પત્ની સાથે ઘરે રહીને પોતાના બીજા બાળકનું સ્વાગત કરવું છે.
કપિલે સોશિયલ મીડિયા પર ફેન્સને
શું પૂછ્યું?
આ
પહેલાં જાન્યુઆરીમાં કપિલે પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું, 'શુભ સમાચારને અંગ્રેજીમાં શું કહે
છે?' લેખક
ચેતન ભગતે કપિલને શુભેચ્છા આપી લખ્યું, 'કોન્ગ્રેચ્યુલેશન ને હિન્દીમાં શું
કહે છે? તમને
ઘણી વધામણી.' ત્યારબાદ
કોમેડિયન ભારતી સિંહે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં ફેન્સને
ગિન્નીનો બેબી બમ્પ દેખાયો હતો. ગિન્નીએ 2019માં દીકરી અનાયરાને જન્મ આપ્યો.
ગયા વર્ષે એક ઇન્ટરવ્યૂમાં કપિલે કહ્યું કે મેં લોકડાઉનને આશીર્વાદની જેમ લીધા છે
ને આખો દિવસ દીકરી સાથે પસાર કર્યો અને સારું ભોજન જમ્યું.