• Home
  • News
  • લગ્નના 24 વર્ષ બાદ સોહેલ-સીમા અલગ થશે:ડિવોર્સ અંગે બોલી- હવે મને કોઈની પરવા નથી, મારે આગળ વધવું છે
post

સોહેલ ખાન ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા'ના શૂટિંગ દરમિયાન સીમાને મળ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-29 19:08:10

ફેશન ડિઝાઇનર સીમા સજદેહ તથા બોલિવૂડ એક્ટર-ડિરેક્ટર સોહેલ ખાન લગ્નના 24 વર્ષ બાદ અલગ થવાનું નક્કી કર્યું છે. બંને અલગ અપાર્ટમેન્ટમાં રહે છે. બંને બે દીકરાઓ નિર્વાણ તથા યોહાન છે. એક ઇન્ટરવ્યૂમાં સીમાએ ડિવોર્સ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેને હવે કોઈ વાતથી ફેર પડતો નથી.

જીવનમાં આગળ વધવું છે
સીમાએ કહ્યું હતું, 'હું મારા જીવનને પોઝિટિવ એંગલથી જોઉં છું. મેં મારા જીવનની તમામ નેગેટિવિટીને પાછળ મૂકી દીધી છે. હવે હું એવી જગ્યાએ પહોંચી ગઈ છું, જ્યાં મને કોઈ વાતની પરવા નથી. બસ મારા પરિવાર ને મિત્રોને ખ્યાલ છે કે હું કોણ છું.'

 

ડિવોર્સ અંગે સીમાએ કહ્યુ હતું, 'મારે હવે મારા જીવનમાં આગળ વધવું છે. આથી જ મેં આ નિર્ણય લીધો છે. આ સાથે મારા આ નિર્ણયની જાણ બાળકોને પણ છે.

સો.મીડિયામાં નામ બદલ્યું
સીમાએ સો.મીડિયા અકાઉન્ટમાં સીમા ખાનને બદલે સીમા કિરણ સજદેહ કર્યું છે.

 સીમા-સોહેલે ભાગીને લગ્ન કર્યા હતા
સોહેલ ખાન ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા'ના શૂટિંગ દરમિયાન સીમાને મળ્યો હતો. સીમા દિલ્હીની છે. જોકે, ફેશન ડિઝાઇનરમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી. સોહેલને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. બંનેએ એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી. બંને જલ્દીથી લગ્ન કરવા માગતા હતા. જોકે, સીમાનો પરિવાર આ લગ્ન માટે તૈયાર નહોતો. આથી જ બંનેએ ભાગીને અડધી રાત્રે નિકાહ માટે મૌલવીને ઉઠાડ્યા હતા અને પછી નિકાહ કર્યા હતા. નિકાહ બાદ આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post