• Home
  • News
  • જ્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં કરો ત્યાં સુધી ટાર્ગેટ કિલિંગ ચાલુ રહેશે- ફારૂક અબ્દુલ્લા
post

છેલ્લા કેટલાક વર્ષોથી કાશ્મીરી પંડિતોને સતત નિશાનો બનાવવામાં આવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-17 18:56:19

જમ્મુ: નેશનલ કોન્ફરન્શના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે, જ્યાં સુધી ભારત પાકિસ્તાના સાથે વાતચીત નહીં કરે ત્યાં સુધી કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અટકશે નહીં. કાશ્મીરી પંડિત પૂરણ ભટ્ટની હત્યાને અનુલક્ષીને અબ્દુલ્લાએ કહ્યું હતું કે, જે રીતે BJP કહી રહી છે કે અનુચ્છેદ 370ના કારણે જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ થઈ રહી છે. આ અનુચ્છેદને સમાપ્ત થયાને 4 વર્ષ થઈ ગયા છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કાશ્મીરી પંડિતોને સતત નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. હવે BJP પાસે શું જવાબ છે? જે રીતે ભારત લદ્દાખ ક્ષેત્રમાં સીમા વિવાદને ઉકેલવા માટે બેઈજિંગ સાથે વાત કરી રહ્યું છે તે જ રીતે તેણે પાકિસ્તાન સાથે પણ વાત કરવાની પહેલ કરવી જોઈએ. 

તેમણે કહ્યું હતું કે, અગાઉ અનુચ્છેદ 370ને હત્યાઓ અને અન્ય બાબતો માટે જવાબદાર ઠેરવવામાં આવતો હતો. તેને રદ્દ કર્યાને 4 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ લોકો મરી રહ્યા છે. જો હત્યાઓ પાછળ અનુચ્છેદ 370 જવાબદાર હતો તો કાશ્મીરી પંડિત પૂરણ ભટની હત્યા કેમ થઈ? આની પાછળ કોઈને કોઈ કારણ તો જરૂર હશે. અનુચ્છેદ 370 હત્યાઓ માટે જવાબદાર નહોતો કારણ કે આતંકવાદને બહારથી પ્રાયોજિત કરવામાં આવી રહ્યો છે. 

ફારૂકે કર્યો PM મોદી ઉપર હુમલો

ફારૂકે PM મોદીને યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાનનું આપેલા નિવેદનની યાદ અપાવી હતી કે, આજની દુનિયામાં યુદ્ધ કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે, 'જ્યાં સુધી તેને રોકવામાં નહીં આવે ત્યાં સુધી હત્યાઓ અટકશે નહીં અને તે માત્ર લશ્કરી રીતે થઈ શકે નહીં. આપણે વાતચીત દ્વારા કોઈ રસ્તો શોધવો પડશે. જુઓ આજે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધમાં શું ચાલી રહ્યું છે. તેઓ મહિનાઓથી એક સાથે લડી રહ્યા છે અને તેઓઓ શું મેળવ્યું છે... અનેક લોકો મૃત્યુ પામ્યા છે.'

ઉલ્લેખનયી છે કે, 4 ઓક્ટોબરના રોજ વડા પ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, સંઘર્ષનો કોઈ લશ્કરી ઉકેલ હોઈ શકે નહીં. તેમણે શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તત્પરતા પણ જણાવી હતી. તેમની ટેલિફોનિક વાતચીત દરમિયાન મોદી અને ઝેલેન્સકીએ યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરી હતી. મોદીએ દુશ્મનાવટને વહેલી તકે સમાપ્ત કરવા અને સંવાદ અને મુત્સદીગીરીનો માર્ગ અપનાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો.

ફારૂકે આગળ કહ્યું હતું કે, 'આપણે ચારેબાજુ આ બધું થતું જોઈ રહ્યા છીએ. આપણે ચીનને આપણી સરહદેથી પાછા જવાની વાત કરી રહ્યા છીએ. તેની સાથે પોતાના સરહદી મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે પાકિસ્તાન સાથે કેમ વાત નથી કરતા. નહીં તો આપણે અહીં જ મરતા રહીશું.'

 

adv

Related News

post
post
post
post
post
post
post