NDRF અને SDRFના 3 અધિકારીઓ અને 35 જવાનોએ 25 કલાક રેસ્ક્યૂ ચલાવ્યું
સાસારામ : બિહારના રોહતાસના
નાસરીગંજ વિસ્તારમાં સોન નદી પરના પુલના બે પિલર વચ્ચે ફસાયેલા 11 વર્ષના કિશોરને બહાર
કાઢવામાં આવ્યો. પરંતુ બાળકની હાલત ગંભીર હતી. તેને સારવાર માટે સાસારામ
સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેણે પોતાના અંતિમ શ્વાસ લીધા
હતા.
NDRF અને SDRFના 3 અધિકારીઓ અને 35 જવાનોએ 25 કલાક રેસ્ક્યૂ
ચલાવ્યું. બાળકનું નામ રંજન કુમાર છે. તે બુધવારે સવારે 11 વાગ્યે પિલરના ગેપમાં
જોવા મળ્યો હતો. સાંજે 4 વાગ્યાથી તેમનું બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું.
ગુરુવારે સવારે તેને
વાંસની મદદથી ખોરાક આપવામાં આવ્યો હતો. પાઈપ દ્વારા ઓક્સિજન આપવામાં આવતો હતો.
પહેલા પિલરમાં ત્રણ ફૂટ પહોળો ખાડો બનાવવામાં આવ્યો, પરંતુ ફરીથી બચાવ
કામગીરીમાં સમસ્યા સર્જાઈ હતી. ત્યારબાદ સાંજે 5 વાગ્યાની આસપાસ સ્લેબ
તોડીને બહાર કાઢવામાં આવ્યો. પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં.