પોલીસે હિંસાના સંબંધમાં લગભગ 20 FIR નોંધી છે. એકલા નૂહ જિલ્લામાં 11 FIR નોંધવામાં આવી છે.
હરિયાણાના નૂહમાં વિશ્વ
હિંદુ પરિષદની વ્રજ મંડળ યાત્રા દરમિયાન હિંસા અને હંગામા બાદ તણાવ પ્રવર્તે છે.
નૂહમાં બે દિવસ માટે કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે
સમગ્ર વિસ્તારમાં અર્ધલશ્કરી દળની 20 કંપનીઓ તૈનાત કરવામાં
આવી છે. રેવાડી, ગુડગાંવ, પલવલ, ફરીદાબાદ સહિત 6 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઈન્ટરનેટ બંધ છે. હિંસામાં 5નાં મોત થયાં છે.
રાજસ્થાનના ભરતપુરમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીંના 4 વિસ્તારોમાં ઈન્ટરનેટ
પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
આ તરફ રાજસ્થાનના
ભરતપુરમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીંના 4 વિસ્તારોમાં ઈન્ટરનેટ
પણ બંધ કરી દેવામાં આવ્યું છે. હરિયાણાના નૂહ, ફરીદાબાદ અને પલવલમાં
તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટરો મંગળવારે એટલે કે 1 ઓગસ્ટે બંધ રહેશે.
નૂહમાં બોર્ડની 10 અને 12ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.
આ પરીક્ષાઓ 1 અને 2 ઓગસ્ટના રોજ યોજાવાની
હતી. DC પ્રશાંત પવારે શાંતિ જાળવવા માટે આજે સવારે 11 વાગ્યે ફરી સર્વ સમાજની
બેઠક બોલાવી હતી.
સોમવારે નૂહમાં વિશ્વ
હિન્દુ પરિષદની વ્રજ મંડળ યાત્રા પર એક ખાસ સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો.
આથી હિંસા ભડકી ઊઠી હતી. બંને તરફથી પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. જેમાં
ગુડગાંવના હોમગાર્ડ નીરજ અને ગુરસેવક શહીદ થયા હતા. 50થી વધુ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય
ઘાયલ થયા છે.
યુપી અને હરિયાણાને
જોડતી મથુરાની સરહદો સીલ કરી દેવામાં આવી છે. આ સાથે હરિયાણા સાથે જોડાયેલા મેરઠ, અલીગઢ, મુઝફ્ફરનગર અને યુપી
જિલ્લામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હરિયાણા હિંસા મામલે
અપડેટ્સ
·
પોલીસે હિંસાના સંબંધમાં લગભગ 20 FIR નોંધી છે. એકલા નૂહ
જિલ્લામાં 11 FIR નોંધવામાં આવી છે.
·
રેવાડી, ગુડગાંવ, પલવલથી નૂહમાં વધારાની પોલીસ ફોર્સ મોકલવામાં આવી છે. સમગ્ર
રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ
મામલાની રિપોર્ટ લીધો છે.
·
રાજ્યના ડીજીપી પીકે અગ્રવાલ અને સીઆઈડી ચીફ આલોક મિત્તલ પણ
નૂહ માટે રવાના થયા હતા.
·
ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે શાંતિ સ્થાપિત થયા પછી આ
મામલે તપાસ કરવામાં આવશે. ક્યાં શું ખૂટે છે તે જોવામાં આવશે. જરૂર પડ્યે અમે મદદ
માટે એરફોર્સનો સંપર્ક કર્યો છે.
·
સીએમ મનોહર લાલે કહ્યું કે નૂહની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે.
હું તમામ લોકોને રાજ્યમાં શાંતિ જાળવવાની અપીલ કરું છું. દોષિતોને બક્ષવામાં આવશે
નહીં. કડક કાર્યવાહી કરવામાં આવશે.
·
હરિયાણાના નૂહમાં હિંસા બાદ રાજસ્થાનના ભરતપુરની 4 તાલુકાઓમાં ઈન્ટરનેટ
બંધ થઈ ગયું છે.
·
ગુરુગ્રામના સોહના, પટોડી અને માનેસરમાં પણ
ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે 6 વાગ્યે અહીં આંબેડકર
ચોક સોહના ખાતે, લગભગ 250 વિરોધીઓએ 5 વાહનો, એક ઓટોને આગ ચાંપી દીધી હતી.એક દુકાન પણ સળગાવી હતી. પથ્થરમારો પણ થયો હતો.
· ગુરુગ્રામમાં સવારે 12.10 વાગ્યે સેક્ટર 57માં આવેલી અંજુમન મસ્જિદ પર હુમલો થયો હતો. જેમાં એકનું મોત થયું હતું. તેને જોતા ગુરુગ્રામના તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ રીતે ફાટી નીકળી
હિંસાઃ યાત્રા શરૂ થતાં જ પથ્થરમારો, હિંસા અને તોડફોડ
વિશ્વ હિંદુ પરિષદના નેજા હેઠળ વ્રજ મંડળ યાત્રા કાઢવાનો હિંદુ સંગઠનોનો કાર્યક્રમ
હતો. નલ્હાર, નૂહ સ્થિત નલ્હારેશ્વર મંદિરમાં જળાભિષેક કર્યા પછી, બડકલી ચોકથી થઈને
ફિરોઝપુર-ઝિરકાના પાંડવ કાળના શિવ મંદિર અને પુનહાના સિંગરના રાધાકૃષ્ણ મંદિર સુધી
જવાનું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે યાત્રા બપોરે 1 વાગ્યે બડકલી ચોક પર
પહોંચી ત્યારે ખાસ સમુદાયના લોકોએ સૂત્રોચ્ચાર કરતા પથ્થરમારો કર્યો હતો.
પથ્થરમારાના કારણે યાત્રામાં નાસભાગ મચી ગઈ હતી. બદમાશોએ વાહનોને આગ ચાંપી દીધી
હતી.
પોલીસ સામે રોડ પરથી
પસાર થતાં વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર
વીડિયો મૂકીને મદદ માગતા જોવા મળ્યા હતા. આ યાત્રા દર વર્ષે થાય છે. આ પ્રકારની
હિંસા પહેલીવાર થઈ છે.
સોમવારની ઘટનાઓ
·
1:00 pm: વ્રજ મંડળ યાત્રા પર
પથ્થરમારો બાદ હિંસા ફાટી નીકળી, જે સમગ્ર નૂહમાં ફેલાઈ ગઈ.
·
બપોરે 3:00 વાગ્યે: ઉપદ્રવીઓએ અનાજ
મંડીમાં સ્થિત સાયબર પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો.
·
સાંજે 5:00 વાગ્યે: ગુડગાંવના સોહના
સ્થિત બાયપાસ પર આગ લાગી હતી. ગોળીઓ પણ વાગી.
·
8:00 pm: વહીવટીતંત્રે બંને
સમુદાયના લોકોની બેઠકનું આયોજન કર્યું હતું.
·
8:40 pm: CMએ સોશિયલ મીડિયા પર
લોકોને શાંતિ જાળવવા અપીલ કરી.
·
10:00 pm: કેન્દ્ર સરકારે
અર્ધલશ્કરી દળોની 20 કંપનીઓ મોકલવાનો નિર્ણય કર્યો.
·
12:00 pm: નૂહ અને અન્ય ત્રણ
જિલ્લાઓમાં ઈન્ટરનેટ બંધ. નૂહમાં સવારે 2 વાગ્યે કર્ફ્યૂની
સૂચના.