કોરોના મહામારીના કારણે ભારતમાં 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ઉડાન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે
Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 12:20:59
દેશમાં કોરોનાના વધતા
જતા કેસને ધ્યાનમાં રાખીને DGCA દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાન
વિશે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. DGCA વિભાગે આંતરરાષ્ટ્રીય
હવાઈયાત્રા પરના પ્રતિબંધને 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે.
હવે દેશમાં 31
ડિસેમ્બર
સુધી કોઈ કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ભારત બહાર જશે નહીં અને બહારથી ભારતમાં
આવશે પણ નહીં. જોકે આ દરમિયાન વંદે ભારત મિશન અંતર્ગત ચાલતી ખાસ ફ્લાઈટો ચાલુ
રહેશે. આ પહેલાં DGCAએ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનો પ્રતિબંધ 30 નવેમ્બર સુધી વધાર્યો
હતો.