• Home
  • News
  • એક દિવસની રાહત બાદ કોરોનાથી મોતનો આંકડો ફરી વધ્યો, 24 કલાકમાં 2.59 લાખ નવા કેસ
post

ભારતમાં કોરોના વાયરસના નવા કેસ અને મોતના આંકડામાં સતત ઉતાર ચઢાવ ચાલુ છે. એક દિવસની રાહત બાદ એકવાર ફરીથી મોતનો આંકડો વધી ગયો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-21 09:59:58

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા કેસ અને મોતના આંકડામાં સતત ઉતાર ચઢાવ ચાલુ છે. એક દિવસની રાહત બાદ એકવાર ફરીથી મોતનો આંકડો વધી ગયો છે. દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં 4200થી વધુ દર્દીઓના કોરોનાથી મોત થયા છે. જો કે નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસમાં 2.59 લાખ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ અગાઉ ગુરુવારે 2.76 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. 

કોરોનાથી થનારા મોતની સંખ્યા ફરી વધી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona)  વાયરસથી 4209 દર્દીઓના મોત થયા છે. આ અગાઉ ગુરુવારે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાં 3874 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. જ્યારે 19મી મેના રોજ દેશભરમાં 4529 લોકોના મોત થયા હતા. જે મહામારીની શરૂઆતથી સૌથી વધુ સંખ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 2,91,331 પર પહોંચી ગયો છે. 

કોવિડના નવા કેસમાં આવ્યો ઘટાડો
તાજા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,59,591 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 2,60,31,991 પર પહોંચી ગઈ છે. જો કે એક દિવસમાં 3,57,295 દર્દીઓ રિકવર પણ થયા છે. દેશમાં કુલ 2,27,12,735 દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં 30,27,925 દર્દીઓ સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 19,18,79,503 લોકોને રસી આપવામાં આપવામાં આવી છે. 

સતત ઓછા થઈ રહ્યા છે એક્ટિવ કેસ
કોરોના વાયરસના નવા કેસ અને મોતના આંકડામાં સતત ઉતાર ચઢાવ ચાલુ છે. જો કે આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં હાલ 30,27,925 લોકો સારવાર હેઠળ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post